________________
ઝળહળતાં નક્ષત્રો
આચાર્યપદે આરૂઢ થયા. સં. ૨૦૦૨ અને સં. ૨૦૦૪ના મુંબઈના ચાતુર્માસ દરમિયાન અધ્યાત્મજ્ઞાન પ્રચારક મંડળને પુનઃ પ્રાણવંતુ બનાવ્યું અને પૂ. યોગનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ વિરચિત ૧૨૫ ગ્રંથોના પુનઃપ્રકાશન કાર્યને વેગવાન કર્યું. આંતરજ્યોતિ ભાગ ૧ થી ૪, ભજનપદ ભાવાર્થ ભાગ ૧-૨ આદિ સરળ ભાવવાહી ગુજરાતી ભાષામાં આધ્યાત્મિક સાહિત્યનું સર્જન કર્યું. પૂજ્યશ્રીના વરદ હસ્તે શાસનપ્રભાવનાનાં ઘણાં કાર્યો થયાં. કોલવાડ ગામે ઘણાં વર્ષો જૂનાં પારસ્પરિક મતભેદને સમજાવી સદ્ભાવ, સંપ, શાંતિનું વાતાવરણ સર્જ્યું અને શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિષ્ઠા સંપન્ન થઈ. સં. ૨૦૨૨ના વૈશાખ સુદ ૩ના શુભ દિને કુંભાસણ મધ્યે આમૂલચલ નવનિર્મિત શિખરબંધી શ્રી શીતલનાથજી જિનાલયમાં શ્રી શીતલનાથજી આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી.
પૂજ્યશ્રી સ્વભાવે ઘણા જ ભદ્રિક, સરળ અને સૌમ્ય હતા, શાંત અને ગંભીર હતા, ધીર અને વીર હતા, ક્ષમા અને નિરભિમાનના અવતાર હતા. તેઓશ્રીએ ૨૫ વર્ષ સુધી સતત એકાસણાં કર્યાં હતાં. જ્ઞાન, ધ્યાન, તપ, જપ, સંયમ, સ્વાધ્યાય અને સમતા દ્વારા આત્માની ઉત્ક્રાંતિ કરી પરમ પદની પ્રાપ્તિનું ધ્યેય સિદ્ધ કરવા સતત જાગૃત રહેતા. તેઓશ્રીએ સં. ૨૦૨૬માં જૂના ડીસા મુકામે પોતાના શિષ્ય આચાર્યશ્રી સુબોધસાગર-સૂરીશ્વરજી મહારાજ અને વિશાળ શિષ્યપ્રશિષ્ય-પરિવાર સહિત ચાતુર્માસ પ્રવેશ કર્યો ત્યારે વૃદ્ધાવસ્થાનાં લક્ષણો જણાવાં માંડ્યાં હતાં. શરીર ક્ષીણ બનતું ચાલ્યું હતું. ભાદરવા સુદ ૪ સંવત્સરી મહાપર્વની સુંદર આરાધના કરી, ભાદરવા સુદ પાંચમે તપસ્વીઓનાં પારણાં થયાં. પ્રભુજીની રથયાત્રાનો વરઘોડો બપોરે ૩=૦૦ કલાકે ચડ્યો. સાંજે ૫=૦૦ વાગે સ્વામિ વાત્સલ્ય થયું. રાત્રે ૧૧=૦૦ કલાકે પૂજ્યશ્રીનું સ્વાસ્થ્ય કથળ્યું. ચતુર્વિધ સંઘ જૈન પૌષધશાળામાં એકત્રિત થઈ ગયો. પૂજ્યશ્રીને ભાવિ સ્પષ્ટ થઈ ગયું હોય તેમ ચોરાશી લાખ જીવયોનિને તેઓશ્રીએ ત્રિવિધે−ત્રિવિધ ખમાવ્યા. નમસ્કારમંત્રનું સ્મરણ સતત ચાલુ રહ્યું. મહાપ્રયાણની તૈયારી કરી લીધી. નમો અરિહંતાણં'નો જાપ કરી, નશ્વર દેહનો ત્યાગ કરી, શાશ્વત સિદ્ધ આરાધક આત્મા ૮૧ વર્ષની ઉંમરે ૪૭ વર્ષનો સંયમપર્યાય પાળી અનંતની યાત્રાએ ચાલ્યો! લાખો ભાવિકો શોકમગ્ન બની ગયા. ભવ્ય અંતિમયાત્રા સાથે અગ્નિસંસ્કાર થયા. ડીસા જૈન
Jain Education International
૮૩૧
સંઘે સદ્ગત આત્માના ચારિત્રપર્યાયની અનુમોદનાર્થે સં. ૨૦૨૭ના કારતક સુદ ૫ થી ૧૩ સુધી, નવ દિવસનો શ્રી સિદ્ધચક્ર મહાપૂજન, શ્રી અર્હત મહાપૂજન, શ્રી અષ્ટોત્તરી સ્નાત્રપૂજા આદિ સહ ભવ્ય જિનેન્દ્રભક્તિ મહોત્સવ ઊજવીને સ્વર્ગસ્થ ગુરુદેવ પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરી. પૂજ્યશ્રીના અગ્નિસંસ્કાર થયા તે સ્થળે તેઓશ્રીના વિદ્વાન પટ્ટધર, શાસનપ્રભાવક પૂ. આ. શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી ૫૧ ફૂટ ઊંચું ભવ્ય કીર્તિમંદિર રચવામાં આવ્યું. પૂજ્યશ્રી ચિરઃસ્મરણીય શાસનપ્રભાવના કરીને સ્વ-પર કલ્યાણના કીર્તિકળશો સ્થાપિત કરી ગયા. એવા એ મહાન શાસનપ્રભાવક ગુરુભગવંતને કોટિ કોટિ વંદના!
સૌજન્ય : રસિલાબેન કાળીદાસ-પાટણ હ. રાજુભાઈ
પૂજ્યપાદ યુગદિવાકર, મહાનશાસનનાયક, પ્રૌઢ પ્રભાવશાલી, શતાધિક જિનાલય પ્રણેતા આ.ભ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા.
સંતપુરુષો–વિરલ વિભૂતિઓના જીવન એવાં ગુણગરિષ્ઠ હોય છે કે જેની અભિવ્યક્તિ કરવામાં અક્ષરો ય અશક્ત બની જાય!! શબ્દમાં સમાય નહીં ને કલમમાં કંડારાય નહીં એવી વિરલતા એમને વરી હોય છે. આવી એક વિરલ વિભૂતિ એટલે વિ.સં. ૨૦૬૦માં જેમની જન્મશતાબ્દીની ઠેર ઠેર શાસનપ્રભાવનાઓપૂર્વક ઉજવણી થઈ છે તે પૂજ્યપાદ પરમકૃપાળુ મહાન શાસનજ્યોતિર્ધર સમર્થ સંઘનાયક દ્રવ્યાનુયોગના વિરલ વ્યાખ્યાતા શતાધિક જિનાલયોપાશ્રયાદિપ્રણેતા યુગદિવાકર આચાર્યભગવંત શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ ! !
(૧) જ્ઞાન-સાધનાઃ ગંગાના નિર્મલ સ્રોત સમી સંયમયાત્રાના ૬૨ વર્ષ દરમ્યાન તેઓશ્રીએ નિરંતર જ્ઞાનની અપૂર્વ અને અસ્ખલિત આરાધના કરી હતી. પ્રારંભમાં અધ્યયનરૂપે, પછી અધ્યાપનરૂપે, તે પછી દૈનિક બબ્બે ત્રણ-ત્રણ સમયનાં પ્રવચનો-વાચનાઓરૂપે, નૂતન સર્જનરૂપે અને શિક્ષણ સંસ્થાઓની સ્થાપના–પ્રોત્સાહનરૂપે તેઓશ્રીનું સમગ્ર જીવન જ્ઞાન–સાધનામાં તત્પર હતું. અતિ ઉચ્ચ કક્ષાની અધ્યયનરુચિ અને કુશાગ્રબુદ્ધિના બળે, દીક્ષાના પ્રારંભના વર્ષોમાં જ તેઓશ્રીએ વ્યાકરણ-સાહિત્ય-ન્યાય-પ્રકરણો-આગમો અને કર્મશાસ્ત્રો પર અદ્ભુત પ્રભુત્વ પ્રાપ્ત કરી લીધું હતું.
તેઓશ્રીએ જીવનભર જ્ઞાનની સાધના અને જ્ઞાનનો
For Private & Personal Use Only
www.jainelibrary.org