________________
૭૫૨
વાતાવરણ રચ્યું હતું. સાધુ-સાધ્વીજી ભગવંતોના અંતરંગ વર્તુળમાં પણ તેઓ પ્રેમભર્યું સ્થાન પામ્યા હતા. આચાર્ય પદવી થઈ ત્યારથી તેઓશ્રીએ પૂર્ણ દૃઢતાથી સૂરિમંત્રની આરાધના કરી હતી. પંચ પ્રસ્થાપન ઉપરાંત સૂરિમંત્રના માત્ર પાંચમા પ્રસ્થાનની આરાધના તેઓશ્રી દર વર્ષે મૌનપૂર્વક કરતા હતા. આચાર્યપદવી પછી તેક્રમ જીવનના અંતિમ વર્ષ સુધી ૧૬ દિવસની સુધી એટલે કે સળંગ ૨૮ વર્ષ સુધી ચાલતો રહ્યો હતો.
૨૦૬૨ની સાલનું ચાતુર્માસ રૂં. ચંદ્રોદયસૂરિશ્વરજી મ.ની ખેતવાડી મુકામે થયું તે ચાતુર્માસમાં જ પૂ. ચંદ્રોદયસૂરીશ્વરજી મ.નો કાળધર્મ નિશ્રામાં થયો. ચાતુર્માસ પૂર્ણ થયા બાદ પૂજ્યશ્રી અમદાવાદ પધાર્યા. ઓપરા સોસાયટીની ઉપાશ્રયમાં વિ.સં. ૨૦૬૩ મહા સુદ-૫ની વહેલી સવારે સાવ અણધારી રીતે ઉપસ્થિતિ તમામને ‘હું જાઉં છું’ કહીને ૩ઃ૦૬ મિનિટે આ પૃથ્વી રથી વિદાય લીધી તેમનો અગ્નિસંસ્કાર પણ સંઘની ઉદારતાથી ઉપાશ્રયનાં પટાંગણમાં જ થયો અને સ્થાન પર સમાધિ મંદિરનું નિર્માણ પણ શ્રી મહાવીર જૈન શ્વે. મૂ.પૂ. સંઘ (ઓપેરા સોસા.અમદાવાદ) દ્વારા જ કરવામાં આવ્યું. એવા એ પ્રખર શાસનપ્રભાવક આચાર્યદેવને કોટિશઃ વંદન!
સૌજન્ય : શ્રી ૧૦૮ સમવસરણ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ, પાલિતાણા શ્રી સૂરિમંત્રના અનુપમ સાધક ૫. પૂ. આ. શ્રીમદ્વિજય જયશેખરસૂરીશ્વરજી મ.સા.
સુરતના ધર્મનિષ્ઠ સુશ્રાવક ચિમનભાઈ ઝવેરીનાં ધર્મપત્ની મોતીકોરબહેનની કુક્ષિથી વિ.સં. ૧૯૮૬, જેઠ વ. ૫-ના જયંતીલાલ નામે પુત્રરત્નનો જન્મ થયો. સ્તનપાન કરાવતી વખતે માતાએ કાનમાં ફૂંકેલો ‘બેટા! સંયમ એ જ સાર છે'નો મંત્ર, ધર્મસંસ્કારી વાતાવરણ, સચ્ચારિત્રચૂડામણિ સ્વ. પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.નું વાત્સલ્ય, સકલસંઘહિતૈષી સ્વ. પૂ. આ. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.નાં વૈરાગ્યરસઝરતાં પ્રવચનો, સ્વકીય વડીલબંધુ પૂ. મુનિરાજશ્રી ધર્માનંદવિજયજી મ.સાયની કે જેઓ પાછળથી સહજાનંદી, અધ્યાત્મરસિક, કર્મસાહિત્યમર્મજ્ઞ, વ્યવહારદક્ષ, નિષ્કપટ, સદા સુપ્રસન્ન સ્વ. પૂ. આ. શ્રી વિજય ધર્મજિતસૂ. મ.સા. બન્યા, તેઓની મસ્તીભરી સંયમસાધનાનાં દર્શન તથા જીવલેણ અકસ્માતમાંથી આબાદ બચાવ થવા પર સૌથી જ્યેષ્ઠબંધુ મોહનભાઈની
Jain Education International
જિન શાસનનાં
મળેલી પ્રેરણા........આ બધાંનો સરવાળો એટલે જયંતીલાલનું વિ.સં. ૨૦૦૮ જેઠ સુદ પાંચમે મુનિ જયશેખરવિજયમાં રૂપાંતરણ. જોતજોતાંમાં વર્ધમાનતપની ૬૨ ઓળી, નૂતન કર્મ સાહિત્ય બંધવિધાન અંતર્ગત મૂળપ્રકૃતિ ૨સબંધોની સંસ્કૃતમાં ૧૬૦૦૦ શ્લોકપ્રમાણ વૃત્તિ, ગુજરાતીમાં ‘કર્મસિદ્ધાંતનું વિજ્ઞાન', મધુર પ્રવચનો દ્વારા ચોમાસાંઓમાં અનેકવિધ શાસનપ્રભાવના......પૂજ્ય ગુરુદેવોએ ક્રમશઃ ગણ વગેરે પદથી અલંકૃત કર્યા. વિ.સં. ૨૦૪૪ના દ્વિતીય જેઠ સુદ૧૦ના કોલ્હાપુર, લક્ષ્મીપુરી મુકામે આચાર્ય પદથી અલંકૃત કરાયા. એ પછી તો તેઓ શ્રી સૂરિમંત્રની સાધનામાં જ જબરા ઓતપ્રોત થઈ ગયેલા. શ્રી સૂરિમંત્રની પાંચે પીઠિકાઓની પાંચથી વધારે વાર તેઓશ્રીએ તપ-જપ દ્વારા સાધના કરી અને શ્રી સૂરિમંત્રની પાંચ પીઠિકાઓની પંચ પ્રસ્થાનની આરાધનાના વિધિની સરળ સંકલના કરી. જેના પ્રભાવે તેઓશ્રીએ શાસનપ્રભાવક ૧૬ અંજનશલાકા-૪૦ પ્રતિષ્ઠા વગેરે અનેક કાર્યો નિર્વિઘ્નરૂપે કરાવેલાં.
જેમના સંસારી પરિવારમાંથી માતા વગેરે ૧૪ પુણ્યાત્માઓ સંયમમાર્ગે સંચર્યા અને જેમના ૨૦ શિષ્યપ્રશિષ્યાદિ સંયમ સાધી રહ્યા છે એવા પૂ. ગુરુદેવશ્રી જયશેખરસૂરીશ્વરજી મ.સા.નાં ચરણોમાં અગણિત વંદન.
સૂરિમંત્ર પીઠિકાસાધક, ભરૂચ તીર્થોદ્ધારક મહાન ભાષાવિદ્, પ્રકાંડ પંડિત
પૂ. આ.શ્રી વિજયરાજયશસૂરીશ્વરજી મ.
ગગનમંડળમાં વિધવિધ ગ્રહો, નક્ષત્રો, તારલાઓ પોતપોતાની શ્રીશોભાથી વિશ્વસૌંદર્ય ધારણ કરી રહ્યાં છે, તેમ જિનશાસનમાં જુદા જુદા રીતે સૂરિવરોએ પોતપોતાની
તપ-જપ-આરાધના ધારા શાસનસેવા ધારણ કરી છે. એવા એક વિશિષ્ટ સાધક છે પૂ. આ. શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજ. તેઓશ્રીનો જન્મ નડિયાદ શહેરમાં સં. ૨૦૦૧ના ચૈત્ર વદ ૧૦ના મંગલદિને થયો હતો. પિતા જિનદાસ અને માતા સુભદ્રાના લાડકવાયા સંતાન રમેશભાઈ નાનપણથી જ વૈરાગ્યવૃત્તિ ધરાવતા હતા. ઘરમાં ભૌતિક સુખસાહ્યબીની તમામ અનુકૂળતા હોવા છતાં
For Private & Personal Use Only
www.jainelibrary.org