________________
૨૮
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૯-૨૦
ટીકા ઃ
महिलानां स्त्रीणां सुबहूनामपि मध्यादिह जनेऽपीति सम्बन्धः, समस्तगृहसार: सर्वद्रव्यनिचयादिः, राजपुरुषैर्नीयते राजकुलं प्राप्यते यस्मिन् गृहे पुरुषो नास्त्यधनिकत्वादिति ।। १९ ।।
ટીકાર્ય :
महिलानां ત્વાવિતિ ।। આ લોકમાં પણ ઘણી પણ સ્ત્રીઓની મધ્યમાંથી સમસ્ત ઘરનો સાર રાજપુરુષો વડે રાજકુળમાં લઈ જવાય છે, જેના ઘરમાં પુરુષ નથી; કેમ કે નિઃસ્વામિકપણું છે=તે ધનનો સ્વામી કોઈ પુરુષ નથી. ।।૧૯।
ભાવાર્થ :
લોકનીતિથી પણ પુરુષપ્રધાનતા સ્પષ્ટ કરવા માટે કહે છે
ઘરમાં ઘણી સ્ત્રીઓ હોય, છતાં કોઈ પુરુષ ન હોય તો તેના ઘણા પણ ધનમાંથી જે સારભૂત ધનનો સમૂહ છે તે રાજકુળમાં લઈ જવાય છે, આ રાજનીતિ છે, તે નીતિ પણ બતાવે છે કે ધનનો ભોક્તા પુરુષ જ પ્રધાન છે, તેમ ધર્મના ક્ષેત્રમાં પણ પુરુષની પ્રધાનતા સ્વીકારવી જોઈએ. II૧૯લા અવતરણિકા :
यथायं पुरुषप्रधानो धर्मस्तथा जनरञ्जनाप्रधान इति यश्चिन्तयति तं प्रत्याहं
.....
અવતરણિકાર્ય :
જે પ્રમાણે આ પુરુષપ્રધાન ધર્મ છે, તે પ્રમાણે જનરંજનપ્રધાન ધર્મ છે, એ પ્રમાણે જે ચિંતવન કરે તેના પ્રત્યે કહે છે
ગાથા :
किं परजणबहुजाणावणाहिं वरमप्पसक्खियं सुकयं ।
इय भरहचक्कवट्टी, पसन्नचंदो य दिट्ठता ।।२०।।
ગાથાર્થ :
પરજન જ્ઞાપના વડે શું ? અર્થાત્ કાંઈ નથી, આત્મસાક્ષિક સુકૃત શ્રેષ્ઠ છે, અહીં ભરત ચક્રવર્તી અને પ્રસન્નચંદ્ર દૃષ્ટાંત છે. II૨૦ના
ટીકા ઃ
ज्ञाप्यते परप्रतीतं क्रियतेऽमूभिरिति ज्ञापना रञ्जना, बहवश्च ता ज्ञापनाश्च बहुज्ञापनाः परजनस्य बहुज्ञापना इति समासः ताभिः, किं ? न किञ्चित्, असारत्वात्तासां । वरं प्रधानमात्मा