________________
મહાસતીજીના શિષ્યા તરીકે તેમને જાહેર કર્યા. શારદાબહેન તથા સાણંદના બીજા બહેન જીવીબહેનની દીક્ષા સાથે થઈ, તે બંનેને પૂ. પાર્વતીબાઈ મહાસતીજીના શિષ્યાએ તરીકે જાહેર કરવામાં આવ્યા. જીવી બહેનનું નામ પૂ. જશુબાઈ મહાસતીજી રાખવામાં આવયું અને શારદાબહેનનું નામ બા. બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજી રાખવામાં આવ્યું વૈરાગ્ય અને વિશાળ વચ્ચેની પાતળી રેખા વિલીન થઈ ગઈ અને વૈરાગ્ય વિજયી બન્યા.
તેમના પૂજ્ય પિતાશ્રી વાડીભાઈ અને માતુશ્રી સકરીબહેન, ભાઈશ્રી નટવરભાઈ તથ પ્રાણલાલભાઈ, ભાભી અ. સ. નારંગીબહેન તથા અ. સ. ઈન્દીરાબહેન, બહેનો અ. સે. ગંગાબહેન, અ. સ. શાન્તાબહેન, અ. સૈ. હસુમતીબહેન બધા ધર્મપ્રેમી છે અને સંસ્કારી કુટુંબ છે. સાણંદમાં તેમને કાપડને સારે વહેપાર છે. શારદાબાઈ મહાસતીજીના સંસારી પિતા શ્રીયુત વાડીલાલ છગનલાલ શાહ સંવત ૨૦૨૧ ના વૈશાખ સુદ ૪ ને મંગળવાર તા. ૪-પ-૬૫ ના રોજ સાણંદ મુકામે પહેલી વખતના હાર્ટ ફેલના હુમલાથી અવસાન પામ્યા છે. મૃત્યુની અંતિમ ઘડી સુધી વિશુદ્ધ ભાવ અને મન ધર્મધ્યાનમાં રહેતું હતું, તેઓશ્રી અને તેમના ધર્મપત્ની તથા પુત્ર પુત્રવધૂઓ અને પુત્રીઓ બધા મહાસતીજીની સાનિધ્યમાં જેટલા દિવસ રહે તેટલા દિવસ ધર્મધ્યાનમાં વ્યતીત કરતા અને જ્યારે પૂ. મહાસતીજીના દર્શન કરવા આવે ત્યારે શુભ ખાતામાં સારી રકમ ભેટ આપતા.
પૂજ્ય શારદાબાઈ મહાસતીજી મુંબઈથી વિહાર કરી સંવત ૨૦૨૩માં દેશમાં પધાર્યા ત્યારે વિહાર કરતાં કરતાં સંવત ૨૦૨૫માં સાણંદ પધાર્યા. તે વખતે તેમના સંસારી માતુશ્રી સકરીબહેનની તબિયત હાર્ટની ટ્રબલ અને ડાયાબીટીશના કારણે નર... હતી. અસહ્ય દર્દમાં પણ તેમની સમતા ગજબ હતી. સકરીબહેનના પુત્ર, પુત્રવધૂએ. તથા પુત્રીઓએ પ્રેમથી અને લાગણીથી તેમની જે સેવા કરી છે તે આજના સંતાને ભાગ્યે કરી શકે. પૂ. મહાસતીજી જ્યારે સાણંદથી વિહાર કરવાના હતા ત્યારે તેમના સંસારી માતુશ્રી સકરીબહેને કહ્યું કે મહાસતીજી! આપ ભાવનગર ચાતુર્માસ પધારશે, પછી હવે હું આપના દર્શન નહિ કરી શકું. મારા માટે આપના આ છેલા દર્શન છે. ત્યારે મહાસતીજીએ કહ્યું કે તમે આમ કેમ બેલે છે? ત્યારે તેમણે કહ્યું - હવે આ નશ્વર દેહને ભરોસો નથી માટે મને ધર્મારાધના કરાવે. પૂ. મહાસતીજી પાસે એક મહિના સુધી સતત શાસ્ત્રવચન સાંભળ્યું. ઘણા પચ્ચખાણ લીધા અને અનેક રીતે પિતાના આત્માની સાધનામાં જોડવા લાગ્યા. ત્યાર પછી પૂ. મહાસતીજીએ ભાવનગર તરફ વિહાર કર્યો. પછી સંવત ૨૦૨૫ના અષાડ સુદ ૧૧ ના રોજ વી. એસ. હૈસ્પિતાલમાં સાંજના પાંચ વાગે સાગારી સંથારો કરી સમતાભાવે આત્મ સાધનામાં મસ્ત રહી સૌને રડતા મૂકી આ નશ્વર દેહને તેમણે ત્યાગ કર્યો.
સંયમી જીવનમાં પ્રગતિ - દીક્ષા જીવનની શરૂઆતમાં મહાસતીજી