________________
“પ્રખર વ્યાખ્યાતા બાલબ્રહ્મચારી, વિદુષી પૂજ્ય શારદાબાઈ મહાસતીજીની જીવનરેખા.”
(પરિચયકાર - બચુભાઈ પી. દેશી) “પ્રેરણાદાયી વૈરાગ્યમય જીવન.”
આ કન્યા કેમ વિરકત ભાવમાં રહે છે? તેની બાલસખીઓ શાળામાં રમતી હોય, ગરબા ગાતી હોય છતાં આ કન્યા કેમ ક્યાંય રસ લેતી નથી?
જેનશાળામાં આ બાળા ધાર્મિક અભ્યાસ માટે જાય છે. જેને કથાઓ સાંભળી તેનું મન કેઈ અગમ્ય પ્રદેશમાં વિચારવા લાગે છે. ચંદનબાળા, નેમ- રાજુલ, મલીકુંવરી, મૃગાવતી, પદ્માવતી, વગેરે કથાઓ સાંભળી જેનશાળામાં ભણતી બાળાઓને કહે છે સખી! ચાલે, આપણે દીક્ષા લઈએ. આ સંસારમાં કંઈ નથી. આવા મનભાવ બાલ્યાવસ્થામાં કુમારી બહેન શારદાને અન્ને છે. પિતાની બહેન વિમળાબહેનના પ્રસૂતિના પ્રસગે અને મૃત્યુએ ચૌદ વર્ષની બહેન શારદા ઉપર સંસારની અસારતાની સચોટ અસર કરી. ખરેખર માનવીને જિંદગીને શે ભરોસો? મૃત્યુ કઈ ક્ષણે આવશે તેની કેને ખબર છે? આજની ક્ષણ સુધારવી એમાં માનવજીવનની મહત્તા છે. આવા વિચારેથી આ કન્યાનું મન દીક્ષા પ્રત્યે દઢ થતું હતું.
તેમના પિતાશ્રી વાડીલાલ છગનલાલ અને માતુશ્રી સકરીબહેન તેમજ સગાંનેહી, ખંભાતવાળા કેશવલાલ તથા ધાંગધ્રાવાળા શ્રી નરસિંહદાસ વખતચંદ સંઘવીએ (આપણું જૈન સમાજના આદર્શ શ્રાવક) બહેન શારદાને સમજાવવા ઘણી મહેનત કરી, પરંતુ જેના હૃદયમાં વૈરાગ્યની જ્યોત પ્રગટી છે, જેને આત્મા વૈરાગ્યના રંગે રંગાઈ ગયે છે તેને કંઈ અસર થાય ખરી? તેમના પૂ. ભાઈજી હીરાચંદ છગનલાલ તેમજ ન્યાલચંદભાઈ, ચીમનભાઈ (સાણંદના માજી પ્રમુખ), સકરચંદભાઈ, ખીમચંદભાઈ અને બીજાઓએ પણ ઘણું પ્રયત્ન કર્યો કે આ કન્યા સંસારમાં રહે તો સારું, પણ ભાવિ પ્રબળ છે. વૈરાગ્યના પંથે જનારને ઘણી કસટીમાંથી પાર ઉતરવું પડે છે. સાથે પ્રસંગે અને તકો પણ એવી મળે છે કે તેમનું મન વધુ ને વધુ દઢ વૈરાગ્યમય બનતું જાય છે.
શારદાબહેનને જન્મ સાણંદ મુકામે સંવત ૧૯૮૧ના માગસર સુદી ૧૧ ના રેજ થયે. સાણંદની ગુજરાતી શાળામાં છ ગુજરાતી સુધીનું વ્યવહારિક શિક્ષણ લેતા લેતા પૂર્વભવના સંસ્કારે અને પુણ્યોદયે બાલપણમાં સ્વયં વૈરાગ્યભાવ અંતરમાં પ્રગટ. સંવત ૧લ્પ માં ખંભાત સંપ્રદાયના સ્વ. પૂ. ગચ્છાધિપતિ, બાલબ્રહ્મચારી, મહાન વ્યાખ્યાતા આચાર્ય શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબને ખબર પડી કે વાડીલાલભાઈ