________________
કાંઈ જ્ઞાનની હાનિ-વૃદ્ધિ દેખાય છે તે કર્મવાળા આત્મામાં દેખાય છે; અને કર્મસહિત આત્મા કર્મના ઉદયથી એકંદ્રિયાદિ ભાવોને પામે છે, તે પ્રમાણે તેના જ્ઞાનની હાનિ-વૃદ્ધિ થાય છે. તેથી આત્મપ્રદેશોની હાનિ-વૃદ્ધિ નહિ હોવા છતાં જ્ઞાનની હાનિ-વૃદ્ધિ થાય છે, તે કર્મને લીધે થાય છે./૧૧થા અવતરણિકા :
જ્ઞાનાદિ ગુણોનું ઉપાદાન શરીર નથી. એ જ વાતની પુષ્ટિ કરતાં કહે છે - ચોપાઈ :
प्रज्ञादिक-थिति सरिषी नहीं, युगलजात नरनइं पणि सही ।
तो किम ते कायापरिणाम ?, जुओ तेहमां आतमराम ।।१२।। ગાથાર્થ :
પ્રજ્ઞાદિક સ્થિતિ યુગલજાત મનુષ્યની પણ જોડકારૂપે જન્મેલા મનુષ્યની પણ, સરખી નથી; તો તે ચેતના, કાયાનો પરિણામ કેમ કહેવાય ? તેહમાં-એક માતાપિતાથી ઉત્પન્ન થયેલા જોડકામાં, આતમરામ જુદો છે. આવા બાલાવબોધ :
प्रज्ञादिकनी स्थिति एकवीर्योत्पन्न युगलमनुष्यनी पणि (सरिषी) नथी, कोइक अंतर तेहमां पणि छड़ । तो ते चेतना कायानो परिणाम किम कहिं ? एक माता-पिताइं निपाया छड़, तेहमां आत्माराम जूदो छइ, तेणई करी ज प्रज्ञादिकनो भेद संभवई ।।१२।। અનુવાદ :
પ્રજ્ઞાતિની.....સંભવવું II૧૨ પ્રજ્ઞાદિકની સ્થિતિ એક વિર્યથી ઉત્પન્ન થયેલા યુગલમનુષ્યની પણ=જોડકારૂપે જન્મેલા મનુષ્યની પણ, (સરખી) નથી; કોઈક અંતર તેમાં પણ છે, તો તે ચેતના કાયાનો પરિણામ કેમ કહેવાય ? એક માતા-પિતાથી નપાયાઃઉત્પન્ન થયેલા છે, તેમાં આત્મારામ જુદો છે, તેથી કરીને પ્રજ્ઞાદિકનો ભેદ સંભવે છે. II૧શા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org