________________
303
તેમ મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ રત્નત્રયીના ઉપાય થકી થાય છે. આ પ્રકારે ફળના કારણમાં ભેદ જાણીને મોક્ષના ઉપાયરૂપ કારણમાં ખેદ કેમ લાવો છો ? અર્થાત્ જેમ પ્રથમ ગુણ, ગુણ વગર પ્રગટ્યો; તેમ મોક્ષ પણ ગુણ વગર પ્રગટ થશે, એમ કહીને મોક્ષના ઉપાયને ઉપાયરૂપે કેમ સ્વીકારતા નથી ?
બાલાવબોધ :
एक उपायथी फलनो पाक थाइ छई- पलालप्रमुखमां घाली अकालइ आंबा पचवीइं, बीजो सहजड़ डालथी ज पाक हुइ छ । इम करमविपाक एक उपायइ छइ, एक सहजइ छ । ए कारणनो भेद जाणीनड़ करणमांहिं स्यो खेद आणो ? केतलांइक कार्य सहजड़ थयां, तो उद्यम स्यो करिडं, इम स्युं मुझाओ છો? |૮||
અનુવાદ :
પ્રઃ ૩પાયથી.....સનફ્ છ≤I = એક ઉપાયથકી ફળનો પાક થાય છે, પલાલ પ્રમુખમાં=ઘાસ વગેરેમાં નાખીને અકાળે આંબા પકવે છે. બીજો સહજ ડાળથી જ પાક થાય છે. એ પ્રકારે કર્મનો વિપાક એક ઉપાયથી થાય છે અને એક સહજ થાય છે.
ભાવાર્થ :
જેમ કેટલીક કાચી કેરીને ઘાસમાં નાંખીને પકવવામાં આવે છે, અને કેટલીક કેરીઓ ડાળ ઉપર સહજ પાકે છે; તેમ જીવમાં અનાદિકાળથી ભાવમળરૂપ ભાવકર્મ છે, તેનો વિપાક=નાશ, સહજ થાય છે, તેથી પ્રથમ ભવસ્થિતિ પાકે છે; અને ભસ્થિતિ પાક્યા પછી જીવ સમ્યક્ પ્રયત્ન કરીને શાસ્ત્રાનુસારી મોક્ષમાર્ગની ક્રિયામાં પ્રવૃત્તિ કરીને ભાવમળનો નાશ કરે છે, તે ઉપાયથી કર્મનો નાશ થાય છે.
અનુવાદ :
છુ વારાનો.....મુંજ્ઞાઓ છો ? ।।૧૦૮।।- એ કારણનો ભેદ જાણીને કરણમાં=કાર્યને કરવામાં, શું ખેદ આણો છો ? કેટલાંક કાર્ય સહજ થયાં, તો ઉદ્યમ શા માટે કરવો એમ શું, મૂંઝાઓ છો ? II૧૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org