Book Title: Samyaktva Shatsthana Chaupai
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 377
________________ ૩૪ર અનુવાદ - નિમ છોડું.....છોડીપ્રમાણ વદરું - જેમ કોઇ આંધળો માણસ એકેક અંશ ગ્રહણ કરીને આ પૂરો કુંજર પૂરો હાથી, છે એમ સદહે છે, અને હાથીના દાંતને ગ્રહણ કરીને મૂલક પ્રમાણ કહે છે, અર્થાત્ હાથી મૂળા જેટલો છે એમ કહે છે; શુંડ ગ્રહણ કરીને તેaહાથી, દંડપ્રમાણ કહે છે, કર્ણ—કાન ગ્રહણ કરીને તેaહાથી, સૂર્પસૂપડા જેવો કહે છે અને ચરણ=પગ, ગ્રહણ કરીને તે હાથી, કોઠી પ્રમાણ= કોઠી જેટલો કહે છે. તિમ મિથ્યાત્વ.....મેકવિવર ના I- તેમ મિથ્યાત્વી વસ્તુ યાવતુ= જેટલા ધર્મવાળી છે, તાવતુ=તેટલા ધર્મવાળી જાણે નહિ, અધૂરો એક અંશભેદાદિક જાણે. વેદનાં રૂ નો.....તે વિશેષ૬ - જેનાં બે લોચન વિકસ્વર છેઃ અનુપહિત છે અર્થાતુ ખામી વગરનાં છે, તે વ્યક્તિ કર-ચરણ-દંતાદિ અવયવથી અને સંસ્થાન-રૂપાદિથી વિશિષ્ટ પૂરો હાથી જુએ છે. તેમ સમ્યગ્દષ્ટિ સકલન સમિત=સકલ નયને માન્ય, વસ્તુ છે તે વિશેષિત કરે છે=સમ્યગ્દષ્ટિ જીવ સકલ નયને માન્ય વસ્તુ છે, તે રૂપે વસ્તુને જાણે છે. નવનિર્દિ....: રસ્તવિ, વળી તે સમ્યગ્દષ્ટિ નયવાદમાં ઉદાસીન થઇને રહે છે, પરંતુ નયની નિંદા કરતો નથી અને નયની સ્તુતિ કરતો નથી. ભાવાર્થ : સમ્યગ્દષ્ટિ આત્મા સર્વ નયોને યથાસ્થાને જોડીને પરિપૂર્ણ વસ્તુને તે રૂપે સ્વીકારે છે. તેથી નયવાદ કોઇ એકેક સ્થાનને માને છે, તે વાતમાં સમ્યગ્દષ્ટિ ઉદાસીન રહે છે. તેથી આ નય ખોટું કહે છે એમ કહીને તેની નિંદા કરતો નથી, અને આ નય સાચું કહે છે એમ કહીને તેની સ્તવના પણ કરતો નથી, પરંતુ પરિપૂર્ણ વસ્તુને યથાર્થરૂપે સ્વીકારતો હોવાથી, પરિપૂર્ણ વસ્તુને યથાર્થરૂપે જોવામાં તે તે નયની દૃષ્ટિને તે તે સ્થાનમાં જોડીને સ્વયં બોધ કરે છે. અને ક્વચિત્ તે નયનો બોધ કરવા માટે અન્ય નયના સ્થાનમાં તે નય કઇ અપેક્ષાએ મિથ્યા છે તેમ પણ વિચારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422