________________
ચોપાઇ :
मायादिकमिश्रित उपचार, ज्ञान-अज्ञानग्रंथि संसार ।
दृश्यपणई मिथ्या परपंच, सघलो जिम सुहणानो संच ।।३५।। ગાથાર્થ :
માયાદિકમિશ્રિત ઉપચાર અજ્ઞાન આદિથી મિશ્રિત વ્યવહાર, જે જ્ઞાનઅજ્ઞાનની ગાંઠરૂપ છે તે સંસાર છે. દશ્યપણું છે, તેથી સઘળો પ્રપંચ મિથ્થારૂપ છે. જેમ-સ્વપ્નનો સંચ=સ્વપ્નમાં દેખાતા પદાર્થો. ગરૂપો બાલાવબોધ -
माया कहितां अज्ञान “अहं मां न जानामि" इत्यादि प्रसिद्ध सर्व प्रपंच मूल कारण अनादिभाव ते प्रमुखइं मिश्रित जे उपचार ते ज्ञान-अज्ञाननी गांठिरूप संसार छइं, अज्ञानाध्यस्तनइं विषई शरीराध्यास, शरीराध्यस्तनई विषइं इंद्रियाध्यास, इत्यादि उपचार ग्रंथि जाणवी, सर्व प्रपंच मिथ्या छइं दृश्यपणामाटई जिम सुहणानो संच-खप्नमोदकादिक ।।३५।। ઉત્થાન :
વેદાંત મતમાં બ્રહ્મથી અતિરિક્ત કોઈ વસ્તુ નથી. આમ છતાં સંસારમાં આ બધું દેખાય છે તે શું છે ? તે બતાવતાં કહે છે - અનુવાદ :
માયા.....અજ્ઞાન - જીવને પોતાના વિષયમાં માયા=અજ્ઞાન છે, તેથી તે પોતાના બ્રહ્મસ્વરૂપને જાણતો નથી. તેને જ બતાવતાં કહે છે –
“મમાં ન નાનામિ"......મોઢવાતિ રૂTી - હું મને (પોતાને) જાણતો નથી ઈત્યાદિ પ્રસિદ્ધ જે અજ્ઞાન છે તે સર્વ પ્રપંચનું મૂળ કારણ છે, અને તે અનાદિકાળથી વિદ્યમાન છે; અને તેનાથી મિશ્રિત એવો આ ઉપચાર થાય છે, અર્થાત્ વ્યવહાર થાય છે કે, આ જગતમાં અનેક આત્માઓ છે, ઘટ-પટાદિ અનેક વિષયો છે. આ પ્રકારનો વ્યવહાર થાય છે, તે વ્યવહાર જ્ઞાન-અજ્ઞાનની ગાંઠરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org