________________
૧૦૪
નહિ હોવાથી પોતાનાથી ભિન્ન જીવો અને ઘટ-પટાદિ પદાર્થો દેખાય છે. અને જેમ કરોળિયો પોતે જ જાળાં કરીને તેમાં ગૂંથાય છે, તેમ બ્રહ્મના અજ્ઞાનને કા૨ણે જીવ સ્વકલ્પના કરીને પોતે કર્મથી બંધાયેલો છે, તેમ તે માને છે. વાસ્તવિક જીવ નિત્યમુક્ત જ છે, તેથી જૂઠે જૂઠું બંધન છે. ૪૦ના
ચોપઇ :
इम अज्ञानि बांधी मही, चेतन करता तेहनो नहीं । गलचामीकरनइ दृष्टांति, धरमप्रवृत्ति जिहां लगइ भ्रांति ।। ४१ ।। ગાથાર્થ :
એમ=પૂર્વ ગાથા-૪૦ માં કરોળિયાના દૃષ્ટાંતથી બતાવ્યું કે અજ્ઞાનને કારણે જૂઠું બંધન થાય છે એ રીતે, અજ્ઞાને કરીને પૃથ્વી=જગતના જીવો, બંધાણા, (પરંતુ) તેનો=તે બંધનનો, કર્તા ચેતન નથી.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે તો પછી ધર્મમાં પ્રવૃત્તિ કઈ રીતે થઈ શકે ? તેથી
કહે છે –
ગાથાર્થ :
ગળામાં સોનાની માળાના દૃષ્ટાંતથી જ્યાં સુધી ભ્રાંતિ જાય નહિ, ત્યાં સુધી ધર્મની પ્રવૃત્તિ છે. II૪૧]]
બાલાવબોધ :
इम अज्ञानई मही कहितां पृथ्वी ते बंधाणी छई, ते बंधनो कर्ता चेतन नथी । जो परमार्थथी बंध नथी तो बंधवियोगनई अर्थि योगी किम प्रवर्तई छई ? ते आशंकाई कहइ छइ - गलचामीकर कहितां कंठगत हेममाला तेहनइ दृष्टांतई भ्रांति छइ, तिहांताई धर्मन विषड् प्रवृत्ति छई, जिम छती ज कंठस्वर्णमाला गई जाणी कोइ घणे ठामे सोंधई तिम अबद्ध ब्रह्मनई ज बद्ध जाणी बंधवियोगनइ अर्थि तपस्वी प्रवर्तनं छई ।। ४१ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org