________________
૨૩૬
સુવાર્ત..... || - સુધાથી પીડિત થયેલો જીવ શાકથી યુક્ત ભોજન કરે છે, તૃષાથી મુખ સુકાયે છતે અમૃત જેવું સ્વાદિષ્ટ પાણી પીવે છે, નિજહૃદયમાં કામાગ્નિ પ્રદીપ્ત થયે છતે પત્નીને સેવે છે, આ વ્યાધિના પ્રતિકાર છે, (તેને) મનુષ્ય સુખ એ પ્રકારે વિપર્યાસ પામે છે=વિપરીત જુએ છે.
• આ ભર્તુહરિ શતક-૩ નો ૯૪ મો શ્લોક છે, અને ત્યાં ‘માંસ્થાતિતાનપાઠના સ્થાને શાવિવનિતાન’ પાઠ છે, તે મુજબ અમે ઉપર અર્થ કરેલ છે. ઉત્થાન :
આ રીતે પૂર્વમાં ઇંદ્રિયોનું સુખ તે દુઃખનું કારણ છે, અને તે વ્યાધિના પ્રતિકારરૂપ હોવાથી જીવને અતિપ્રતિકૂળ છે, તે યુક્તિથી બતાવ્યું. હવે ખરેખર સુખ મોક્ષમાં જ છે એ બતાવવા અર્થે મોક્ષના કારણભૂત એવા ઉપશમસુખને બતાવે છે - - અનુવાદ –
કિયવૃત્તિરદિત......અનુભવસિદ્ધ છ, - ઇંદ્રિયોની વૃત્તિથી રહિત, ધ્યાનની સમાધિથી જનિત-પેદા થયેલું, ઉપશમ સુખ છે; અને તે જ સાર= નિરુપચરિત અર્થાત્ વ્યાધિના પ્રતિકારરૂપ નથી, પરંતુ આત્માની સ્વસ્થતારૂપ છે. તે=ઉપશમસુખ, એક ક્ષણ રાગ-દ્વેષ રહિત થઈ આત્મામાં જુઓ તો અનુભવસિદ્ધ છે.
$ ય પ્રામરતો’ - ઉપશમસુખ સાર છે, તેમાં પ્રશમરતિ ગ્રંથની સાક્ષી આપતાં કહે છે –
સ્વસુરવન...|| - સ્વર્ગસુખો પરોક્ષ છે, મોક્ષસુખ અત્યંત પરોક્ષ જ છે, પ્રશમસુખ પ્રત્યક્ષ છે અને વ્યયપ્રાપ્ત નથી.
યત....ત્યાદ્રિ પાટદ્દા - જે સર્વ વિષયની કાંક્ષાથી ઉત્પન્ન થયેલું સુખ સરાગી જીવ વડે પ્રાપ્ત થાય છે, તે અનંતકોટિગણું વીતરાગ વગર પ્રયત્ન મેળવે છે. ટકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org