________________
૧પ૧
બાલાવબોધ :
_ए तो आत्मानो स्वभाव जो संसारिदशाइ अशुद्ध, सिद्धदशाइ शुद्ध, इम शुद्धाशुद्ध स्याद्वादप्रमाणइ करी मानिइ तो सर्व दाव मुक्तिशास्त्रनो पावइ, पणि एकांतवादइ तो कांइ न मिलइ; विरोध परिहरइ छइ- कालनइ भेदथी विरोध नइ, जेमाटइ एक ज भूतल घटकालइ घटवत्स्वभाव छड़, अन्यकालइ अघटस्वभाव छइ, इम शुद्धाशुद्धोभयस्वभाव कालभेदइ मानतां विरोध नथी, अन्यनइ जे भावाभावसंबंध घटक ते ज अह्मारइ शबलस्वभाव छै ।।६०।।
અનુવાદ :તો માત્માનો......
વનમિત્ત-આ રીતે પૂર્વગાથા-૫૯માં બતાવ્યું એ રીતે, આત્માનો સ્વભાવ જો સંસારીદશામાં અશુદ્ધ અને સિદ્ધદશામાં શુદ્ધ, એ પ્રકારે શુદ્ધાશુદ્ધરૂપ સ્યાદ્વાદને પ્રમાણ કરીને માનીએ, તો મુક્તિશાસ્ત્રના સર્વ દાવો પ્રાપ્ત થાય=મુક્તિશાસ્ત્રની સર્વ વાતો સંગત થાય. પરંતુ એકાંતવાદમાં તો=આત્મા એકાંતે શુદ્ધ છે એ પ્રકારના વાદમાં તો, મુક્તિશાસ્ત્રની વાતો કાંઈ મળે નહિ.
વિરોધ પરિદરડુ છઠ્ઠ - આત્માને શુદ્ધ-અશુદ્ધરૂપ સ્વીકારવામાં પરસ્પર વિરોધ દેખાય, કેમ કે જો આત્માને શુદ્ધ કહીએ તો અશુદ્ધ ન હોય, અને અશુદ્ધ કહીએ તો શુદ્ધ ન હોય, તેથી એક જ વસ્તુને શુદ્ધાશુદ્ધ સ્વીકારવામાં પરસ્પર વિરોધ દેખાય છે, તે વિરોધનો પરિહાર કરતાં કહે છે -
વનિન.....વિરોઘ નથી, - કાળના ભેદથી વિરોધ નથી. જેમ એક જ ભૂતલ, ઘટના વિદ્યમાનકાળમાં ઘટવત્ સ્વભાવવાળો છે અને અન્યકાળમાંsઘટના અવિદ્યમાનકાળમાં, અઘટસ્વભાવવાળો છે, એ રીતે આત્મામાં પણ શુદ્ધ-અશુદ્ધ ઉભય સ્વભાવ કાળભેદે માનવામાં વિરોધ નથી. ભાવાર્થ :
સાધના પૂર્વે જીવ સંસારીદશામાં અશુદ્ધ સ્વભાવવાળો છે, અને સાધના કરીને જ્યારે કર્મરહિત બને છે ત્યારે શુદ્ધ સ્વભાવવાળો છે. આ રીતે પૂર્વકાળમાં અશુદ્ધ અને પશ્ચાત્કાળમાં શુદ્ધસ્વભાવવાળો આત્મા માનવામાં કોઈ વિરોધ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org