________________
શ્રમણ ભગવાન મહાવીર
પછી પણ પ્રભુના સાધુઓ સાથે જ વિહાર કરવાની પ્રવૃત્તિ મરિચિએ ચાલુ રાખી હતી. એટલું જ નહિ, પરંતુ પિતાની ધર્મદેશનાની શક્તિથી જે કોઈ રાજકુમારો વગેરે પ્રતિબંધ પામતા તે સર્વને પ્રથમની માફક પ્રભુને સાધુઓ પાસે મોકલી તેમના શિષ્ય બનાવવા સાથે શુદ્ધ સંયમ માર્ગની આરાધના માટે પ્રેરણ કરતા હતા.
આત્માની અમુક અવસ્થા એવી હોય છે કે-જે અવસ્થામાં આત્મામાં કેવળ અંધકાર ભર્યો હોય છે, પ્રકાશનું એકાદ કિરણ પણ પ્રગટ થયેલ નથી હતું. અમુક અવસ્થા આત્માની એવી હોય છે કે જે અવસ્થામાં આત્મા સંપૂર્ણ પ્રકાશથી ભરપૂર હોય છે, અંધકારનું નામનિશાન નથી હોતું જ્યારે અમુક અવસ્થા એવી પણ હોય છે કે-જે અવસ્થામાં અંધકાર અને પ્રકાશ ઉભયનું સ્થાન હોય છે. મરિચિના જીવનની પણ પ્રકાશ અને અંધકારના દ્વન્દ ભરી એવી જ પરિસ્થિતિ છે ભરત ચક્રવર્તીને ત્યાં જન્મ થવા છતાં પ્રભુની ધર્મદેશના શ્રવણ કર્યા પછી આત્મા વૈરાગ્ય રંગથી રંગાઈ જ અને ભેગોપભોગની વિપુલ સામગ્રીનો પરિત્યાગ કરી સંયમનો સ્વીકાર કરે એ અવસ્થા આત્માને પ્રકાશની છે. એના એ જ મરિચિને ગ્રીષ્મ ઋતુમાં ઉષ્ણુ પરિષહને પ્રસંગ પ્રાપ્ત થતા ગ્રહણ કરેલા સંયમમાં શૈથિલ્ય પ્રાપ્ત થવું અને ત્રિદંડિક વેષની કલ્પના કરવી એ અવસ્થા આત્માના અંધકારની છે. સંયમમાર્ગમાં પિતાની શિથિલતા છતાં