________________
મહાનુભાવ મરિચિ યાને...
૩૫
થાય ત્યાં સુંદર સંસ્કારના વાતાવરણની પ્રાપ્તિ થાય એ ઉરચત્રનું ફળ છે, અને જ્યાં જન્મ થાય ત્યાં સુંદર સંસ્કારનાં સ્થાને હિંસા, અસત્ય, ચેરી, અનીતિ તેમ જ યાચકવૃત્તિ વગેરે વિપરીત સંસ્કારનું વાતાવરણ પ્રાપ્ત થાય તે નીચત્રનું ફળ છે. નીચગેત્રનાં ફળ સ્વરૂપે શકુળમાં જેને જન્મ થયે હોય તેવા માનવ સમુદાય તરફ અનાદર, ઉપેક્ષા વૃત્તિ કે તિરસ્કાર કરે એ જેમ યોગ્ય નથી તેજ પ્રમાણે પિતાની ભૂતકાળની વિપરીત પ્રવૃત્તિજન્ય કર્મદેષના કારણે તે વર્ગને જે શિક્ષા મળી છે અર્થાત્ ધર્મક્ષેત્ર તથા સમાજ ક્ષેત્રની અમુક વ્યવહાર મર્યાદામાં અનધિકાર પ્રાપ્ત થયેલ છે તેમાં છુટછાટ કરવી તે પણ ચોગ્ય નથી. વ્યાપારી બજારમાં દેવાળું કાઢનાર હવે પછી પિતાને નામે વ્યાપાર કરવાનો અધિકાર જેમ ગુમાવે છે તે જ પ્રમાણે ધર્મ તેમ જ સમાજની નીતિ -રીતિ સંબંધી મર્યાદાઓને ભંગ કરનાર માનવ ધાર્મિક તેમજ સામાજિક અધિકારેને પિતાની વિપરીત પ્રવૃત્તિના કારણે ગુમાવે છે. આવા સંજોગોમાં અસ્પૃશ્યતા નિવારણ, હરિજન પ્રવેશ વગેરે પ્રવૃત્તિ કેટલી વ્યાજબી તેમજ લાભહાનિવાળી છે, એ બાબત ઘણી વિચારણીય છે.
જીવનમાં પ્રકાશ અને અંધકારનું દ્વન્દ્ર ભગવાન શ્રી રાષભદેવજીની હયાતી દરમ્યાન મરિચિ પ્રભની સાથે જ ગ્રામાનુગ્રામ વિચરતા હતા. પ્રભુના નિર્વાણ