________________
૩૮
શ્રમણ ભગવાન મહાવીર क्षणं सक्तः क्षणं मुक्तः क्षणं क्रुद्धः क्षणं क्षमी । मोहाद्यः क्रीडयेवाहं. कारितः कपिचापलम् ।।
(ભાવાર્થ - હે ભગવન્! ક્ષણવારમાં સંસારમાં મન ખુંચેલું રહે છે, ક્ષણવારમાં સંસારને પ્રલેભનોથી મન મુકતદશા અનુભવે છે, ક્ષણવારમાં મન કોધી બની જાય છે, વળી ક્ષણવારમાં મન ક્ષમાધર્મ સંપન્ન બને છે. તે ભગવન્! મેહ વગેરે અંતરંગ શત્રુઓએ મારા આત્માની કિંવા મનની મર્કટ જેવી ચપલતા કરી દીધી છે) આત્માની આવી ચપલ પરિસ્થિતિ છતાં એક વાત નિશ્ચિત છે કે જે મહાનુભાવના આત્મમંદિરમાં આત્માને જ્ઞાનપ્રકાશનું સાચું ક્રિણ એકવાર પણ પ્રગટ થયું હોય, વચ્ચે વચ્ચે ભલે અંધકા૨નાં આવરણ આવે, પરંતુ આખર તે આત્મા અર્ધ પુદગલ પરાવર્ત માં સંપૂર્ણ પ્રકાશમય બની મુતિમંદિરને અવશ્ય અધિકારી બને છે. આ મરિચિના શરીરમાં બિમારી
" એક અવસરે મરિચિના શરીરમાં અશાતાદનીયન કારણે બિમારી શરૂ થઈ. મરિચિ ભગવાન રાષભદેવજીના સાધુઓ સાથે જ વિચરે છે. મરિચિને બિમારીને પ્રસંગ પ્રાપ્ત થતાં તેને અસંયમી જીવનના કારણે મરિચિની જે રીતે સેવાચાકરી કરવી જોઈએ તે પ્રમાણે સંયમી સાધુઓ સેવાચાકરી નથી કરતા. સાધુઓ સામાન્ય સાધુઓ ન હતા. ભગવાન ઋષભદેવ પ્રભુના સાધુઓ હતા. અલ્પસંસારીનિકટમુક્તિગામિ સાધુઓ હતા. તેવા ગુણવંત સાધુઓના