________________
૩૫૪
શ્રમણ ભગવાન મહાવીર
જેનદર્શનના નિયમ પ્રમાણે કોઈ પણ તીર્થંકર ભગવંતને પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ એમ કુલ પંદર કર્મભૂમિના ક્ષેત્રે પૈકી કઈ પણ ક્ષેત્રમાં જન્મ કલ્યાણકને પવિત્ર પ્રસંગ હોય તે અવસરે ચેસઠ ઇન્દ્રો, તેમની ઈદ્રિાણીઓ તેમજ બીજા અસંખ્ય દેવો અને દેવીએ ઘણું ઘણાં ઉલ્લાસથી મેરુપર્વત ઉપર જ માભિષેક મહત્સવ અવશ્ય ઉજવે છે. ઇન્દ્રો વગેરે દેવેને આશાશ્વત આચાર છે. અનંત કાળ અગાઉ તીર્થકરના જન્માભિષેક મહોત્સવની આ કલ્યાણકારી પ્રવૃત્તિ વિદ્યમાન હતી અને ભવિષ્યકાળમાં પણ આ મંગળમય આચાર શાશ્વત રહેવાને છે.
પ્રાસંગિક લેક-અલકનું સ્વરૂપ જૈનદર્શનની અપેક્ષાએ લોક-અલેકમય આ વિશ્વ અનાદિ-અનંત છે, અર્થાત્ સનાતન અને શાશ્વત્ છે. લેકઅલેક સ્વરૂપ અનંત વિશ્વમાં જે આકાશ ક્ષેત્રમાં અને તાનંત જીવાત્માઓ તેમજ અનંતાનંત પરમાણુ વગેરે પુદ્ગલ દ્રવ્ય છે, ઉપરાંત એ જીવ અને પુગલના ગતિ --સ્થિતિ પરિણામમાં નિયત સહાયક ધર્માસ્તિકાય-અધમાં સ્તિકાય દ્રવ્ય છે. એવા વિશ્વના વિભાગને લેકાકાશ” કહે વામાં આવે છે. તેમજ જે આકાશક્ષેત્રમાં જ નથી પગલે નથી અને તેમના ગતિ-સ્થિતિમાં સહાયક ધર્મ સ્તિકાય-અધર્માસ્તિકાય પણ નથી એ આકાશક્ષેત્રને “અલેક કહેવામાં આવે છે. જેની અપેક્ષાએ અલેકનું ક્ષેત્ર અને તાનંતગણું વિશાળ છે. અલેક કાયમ માટે અલેક છે અને લેક એ કાયમને માટે લેક જ છે.