________________
બીજ ૬૩ ઈદ્રો વગેરેનું મેરુગિરિ ઊપર આગમન ૩૫૩ પાછળથી પુત્રને ન દેખતા માતાજીને અશાતા (ચિંતા) ન થાય તે માટે ભગવંતના પ્રતિબિંબની વિમુર્વણ રચના કરી માતાજી પાસે એ પ્રતિબિંબને સ્થાપન કરી સૌધર્મેન્દ્ર ભગવંતને જન્માભિષેક મહોત્સવ માટે મેરુશિખર ઊપર લઈ જાય છે. ત્રણલેકના નાથ દેવાધિદેવની ભકિતને સંપૂર્ણ લાભ પિતાને જ લેવાની ભાવના હોવાથી સૌધર્મેન્દ્ર પાંચ રૂપની સ્વયં વિકુર્વણ કરે છે. એક રૂપ વડે બંને કરકમલમાં ભગવંતને ધારણ કરે છે. બે રૂપ વડે બને બાજુ ચામર વીંજવાનું કાર્ય ચાલે છે. એક રૂ૫ વડે મસ્તક ઊપર છત્ર ધારણ કરવામાં આવે છે, અને એક રૂપ વડે પ્રભુની આગળ વજી ઉલાળવામાં આવે છે. બીજા ૬૩ ઈદ્રો વગેરેનું મેરગિરિ ઉપર આવાગમન
સધર્મેન્દ્ર જિનેશ્વરદેવની ભક્તિનો લાભ સંપૂર્ણ પિતાને મળે એ ઉત્તમ-ભાવનાથી પાંચ રૂપની વિમુર્વણા કરી ભગવાન મહાવીર પ્રભુને લઈને જે અવસરે મેરુશિખર ઊપર તીર્થકર ભગવંતને જન્માભિષેક મહોત્સવ ઉજવવા માટે આવી પહોંચ્યા. તે અવસરે ભવનપતિ, વ્યંતર, જ્યતિષી અને વૈમાનિક નિકાયના બીજા કુલ ૬૩ ઈન્દ્રો પોતાના વિશાલ પરિવાર સાથે મેરુશિખર ઉપર આવી પહોંચ્યા હતા. ઉપરાંત ચારેય નિકાયના બીજાં અસંખ્ય દેવો અને દેવીએ પણ પિતપતાના સ્થાનેથી પરમાત્માની ભક્તિને લાભ લેવા મેરુપર્વત ઉપર હાજર થઈ ગયા હતા. તીર્થકરોના કલ્યાણકને ઉજવવા, એ ઈબ્રાદેદેવને
શાશ્વતે આચાર છે.