________________
અઢ: ભવ ત્રિપૃષ્ઠ-વાસુદેવ
૧૧૧ બાદ જ્યાં સુધી આત્મામાં એ ગુણ ક્ષાયિક ભાવે પ્રકટ ન થાય ત્યાં સુધી પ્રાયઃ ગુણને ઉદય અને અસ્ત, ઉદય અને અસ્ત એમ પરંપરા ચાલ્યા કરે છે. આત્મહિત માટે અનુકૂળ નિમિત્ત મળતાં આત્મામાં અનુકૂળતા પ્રકટ થાય છે. અને પ્રતિકૂળ નિમિત્ત મળતાં આત્મામાં પ્રતિકૂળતા પ્રાપ્ત થાય છે. પરંતુ આ પરિસ્થિતિ પ્રાયઃ ત્યારે જ બને છે કે એક વાર પણ આત્માને નિજાનંદનો અનુભવ થઈ ચૂકે હેય. “નિમિતવાલી માત્મા' જાણતા આ વાક્યના ચરિતાર્થ પણાને અનુભવ પણ આવા પ્રસંગે પ્રગટ સમજાય.
વિપઠ વાસુદેવની વિષયલેલુપતા ભગવાન શ્રેયાંસનાથ પ્રભુની ધર્મદેશના શ્રવણ થતાં ત્રિપૂછવા સુદેવના આત્મા ઉપર વર્તતુ દર્શનમોહનું આવરણ તત્કાળ પુરતુ દૂર થઈ ગયું, અને સમ્યગ્રદર્શનને પ્રકાશ પ્રકટ થશે. પ્રભુને વંદના નમસ્કાર કરીને વાસુદેવ પિતાના પરિવાર સાથે રાજમહેલમાં પધાર્યા. વાસુદેવનું જીવન બહલતાએ વિષયેની લેલુપતાથી ભરપૂર હોય છે, અને એ વિષયની વધુ પડતી લેલુપતાના કારણે સમ્યગદર્શન વગેરે ગુણેને લાંબે સમય ટકાવ થતું નથી. દવે પ્રગટ થયા બાદ એ દીવાની જેત ન બુઝાઈ જાય તે માટે જેમ કાચ વગેરેના સંરક્ષણની જરૂર છે. તે જ પ્રમાણે આત્મગુણની પ્રગટ થયેલ તને સજાગ શખવા જીવનમાં સંયમ, તપ વગેરેની ઘણી જરૂર છે. અનંતકાળની વિષયલેલુપતા તપ અને સંયમ સિવાય ટળતી નથી એ નકકી વાત છે.