________________
વીશમે ભવ-પ્રિય મિત્ર ચક્રવર્તી
૧૬૫
મૂલ્યાંકન હતાં, “મૃત્યુદેવનું આમંત્રણ આવે તે પહેલાં ઓછામાં ઓછી એક દિવસ તે સંયમની સાધના થવી જ જોઈએ એ આર્યસંસ્કૃતિનું તત્વ આર્યાવર્તનાં માનવસમુદાયમાં સદાય જાગૃત હતું. છેલ્લે છેલ્લે એક દિવસ જેટલી પણ સંયમની સાધના સિવાય પરલેકમાં પ્રયાણ થાય તે માનવજીવન નિષ્ફળ ગણવામાં આવતું હતું અને આ કારણે જ રાજામહારાજાઓ, મહામા, ક્રોડપતિઓ, લક્ષાધિપતિઓ તેમજ મધ્યમવર્ગનાં માનવ બંધુઓ જ્યારે જ્યારે અવસરે મળે એટલે બાલ્યવયમાં, યોવનવયમાં અથવા પ્રૌઢવયમાં અધ્યાત્મિકદષ્ટિનાં પિષણ માટે સંયમ કિંવા સંન્યસ્તધર્મની આરાધના માટે ચાલી નીકળતા હતાં. ગૃહસ્થાશ્રમના વ્યવહારમાં પણ ત્યાગ-વૈરાગ્ય અને અધ્યાત્મવાદની પુષ્ટિને અગ્રસ્થાન આપવામાં આવતું હતું. રાજા ધનંજય અને રાણું ધારિણુની સંયમ સાધના
રાજા ધનંજય ને રાણી ધારિણીના અંતરાત્મામાં આ ત્યાગ-વૈરાગ્ય અને અધ્યાત્મવાદનું તવ હરહંમેશ જીવંત હતું. પુત્ર પ્રિય મિત્રને યૌવનકાળ અને રાજ્યની ધુરા સંભાળી શકે તેવી તેનામાં રેગ્યતા દેખવામાં આવી એટલે પુત્રને રાજ્યને ભાર અર્પણ કરી રાજા રાણી બંને રાજ્યને વિપુલ વૈભવ તેમજ પુત્રાદિ પરિવારની મમતાને ત્યાગ કરી આત્મકલ્યાણ માટે ચારિત્ર ગ્રહણ કરવા યોગ્ય ગુરુદેવની પાસે પહોંચી ગયા, દીક્ષા ગ્રહણ કરી તેમજ જ્ઞાન ધ્યાન સાથે તપ-સંયમની આરાધનામાં ઉજમાળ બન્યા.