________________
દેવનંદાની કુક્ષિમાં શા માટે આવવું પડયું? ૩૦૫ અવશિષ્ટ રહેલાં અશુભકર્મના કારણે દેવાનંદાની
- કુક્ષિમાં અવતરણ ભગવાન મહાવીરના સમ્યગ્રદર્શનની પ્રાપ્તિની અપેક્ષાએ ગણવામાં આવતા સત્તાવીશ ભ પૈકી મરિચિને ભવ એ ત્રીજો ભવ હતું. એ ત્રીજા ભવ પછીના અનેક ભમાં પ્રભુ મહાવીરના આત્માનો વારંવાર ભિક્ષાવૃત્તિવાળા બ્રાહ્મણકુળમાં અવતરણ (જન્મ) થયેલ હોવાથી મરિચિના ભવમાં સંચિત કરેલું નીચગોત્ર કર્મ ઘણું ખરું ભોગવાઈ જવા છતાં ખ્યાશી દિવસ સુધી ભેગવવું પડે તેટલા પ્રમાણમાં તે કર્મ અવશિષ્ટ રહ્યું, અને તે કારણે ભગવાન મહાવીરને આત્મા પ્રાણુત નામના દશમા દેવલોકમાંથી આવી બ્રાહ્મણકુંડ નગરમાં ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનદાની કુક્ષિ માંગ પણે અવતર્યો. તેમજ ખ્યાશી દિવસે દરમિયાન એ અશુભ કર્મ ભેગવાઈને ક્ષીણ થઈ જતાં સૌધર્મેન્દ્ર હરિ
ગમેથી દેવ દ્વારા ગર્ભનું સંક્રમણ કરાવ્યું અને ભગવાન ત્રિશલા માતાની કુક્ષિમાં પધાર્યા. દેવાનંદને આ પ્રસંગે ઉપસ્થિત થવાનું શું કારણ ?
અહીં સ્વભાવિક રીતે એ પ્રશ્ન થવાને સંભવ છે કે ભગવંતના આત્માને ૮૨ દિવસ સુધી ભોગવવા ગ્ય અશુભ કર્મ બાકી હોવાના કારણે દેવાનંદાની કુક્ષિમાં ભગવાનને એટલે સમય અવતાર લેવાને પ્રસંગ આવ્યું. પરંત દેવાનંદાની કુક્ષિમાં ત્રણલોકના નાથ, અનંત ઉપકારી તીર્થ - કર પરમાત્માનો અવતાર લેવા પછી ખ્યાશી દિવસ પરમા