Book Title: Bhagwan Mahavirna 26 Bhav
Author(s): Vijaydharmsuri
Publisher: Muktikamal Jain Mohan Granthmala

Previous | Next

Page 404
________________ સિદ્ધાર્થ રાજાને ત્યાં ધન ધાન્યાદિકની વૃદ્ધિ ૩ર૭ પાઠકની રાજસભામાંથી વિદાયગિરી થયા પછી સિદ્ધાર્થ રાજા સિંહાસન ઉપરથી ઉભા થઈ જવનિક માં ત્રિશલા ક્ષત્રિયાણી પાસે આવ્યા અને કદાચ કઈ વાત સાંભળવામાં ન આવી હોય એ આશયથી સ્વપ્નલક્ષાણુ–પાઠકના મુખેથી શ્રવણ કરેલ ચદેય સ્વપ્નમાં સર્વોત્તમ ફળને સમગ્ર વૃત્તાંત ત્રિશલા ક્ષત્રિયાણી પાસે કહી સંભળાવ્ય ત્રિશલાક્ષત્રિયાણી પણ એ સમગ્ર વૃત્તાંત શ્રવણ કરી અત્યંત પ્રસન્ન થયા. અને પાર્શ્વનાથ પ્રભુનાં શાસનની આરાધના સાથે આનંદમાં સમય પસાર કરવા લાગ્યા. સિદ્ધાર્થ રાજાને ત્યાં ધન-ધાન્યાદિકની વૃદ્ધિ જ્યારથી ભગવાન મહાવીર દેવાનંદાની કુક્ષિમાંથી ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં પધાર્યા ત્યારથી સિદ્ધાર્થ ક્ષત્રિયના સત્કાર-સન્માન સાથે યશકીતિની વૃદ્ધિ શરુ થઈ ગઈ. તેમજ સિદ્ધાર્થ ક્ષત્રિયને ત્યાં તેમના સમગ્ર જ્ઞાનકુલમાં રાજ્યમાં અને રાષ્ટ્ર પ્રજાજનેમાં ધન-ધાન્યની અદ્ધિ-સિદ્ધિ-સંપત્તિની વૃદ્ધિ શરૂ થઈ ગઈ. જેનું વંશવારસામાં કઈ માલિક ન હોય એવા ભૂમિ વગેરે સ્થળે રહેલા મહાનિધાનેને ઉપાડી ઉપાડીને ઈન્દ્ર મહારાજની આજ્ઞાથી દેવે સિદ્ધાર્થ ક્ષત્રિયનાં રાજમહેલમાં લાવવા લાગ્યા, અને દિનપ્રતિદિન આનંદ-કલેલની પરંપરામાં વધારો થતો ગયે. વર્ધમાન કુમાર નામ સ્થાપનને મનોમન નિર્ણય ભગવાન મહાવીરને આત્મા ચોવીસમા તીર્થકરને

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456