Book Title: Bhagwan Mahavirna 26 Bhav
Author(s): Vijaydharmsuri
Publisher: Muktikamal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 415
________________ ૩૩૮ શ્રમણ ભગવાન મહાવીર એકાંતનું વધુ સેવન કરે છે. સખીઓને સમુદાય તમજ કુલવૃદ્ધા અનુભવી સ્ત્રીઓ પણ “મારે સંવર, મરવ નિજ, વ્યાનં ૪ વર્ષ” તમે ધીમે ધીમે ચાલા; જરૂર પૂરતું પણ મન્દ મન્દ સ્વરે બોલે, અને ક્રોધને જરાપણ પરવશ ન બનો, વગેરે વગેરે હિતશિક્ષાના મધુર અને કર્ણપ્રિય વચને માતા ત્રિશલાને સંભળાવે છે. ગર્ભના પ્રભાવે માતાજીના પ્રશસ્ત દેહલા ત્રણલેકના નાથ અનંત ઉપકારી તીર્થકર ભગવંતને આત્મા માતાની કુક્ષિમાં અવતરેલ હોવાથી સંસ્કૃષ્ટ પુણ્ય વંત એ ગર્ભના પ્રભાવે માતા ત્રિશલાને અનેક પ્રકારના પ્રશસ્ત મનેર (દેહલાઓ) ઉત્પન્ન થાય છે. હું મણિરત્નથી જડેલા સિંહાસન ઉપર બેસું. મારા મસ્તકે છત્ર ધારણ કરવામાં આવે. બન્ને બાજુ ઉજજવલ ચામર વીંજાય, અને અનેક સામંત રાજા મહારાજાઓ વિવિધ પ્રકારનાં ભેટણ લઈને મારી સમક્ષ એ ભેંટણા ધરવા ઉપરાંત એ સર્વ રાજા મહારાજાએ મારા ચરણેમાં વંદન-નમસ્કાર કરે. હું હાથીની અંબાડી ઉપર બેસું, અગ્ર ભાગમાં જુદા જુદા પ્રકારનાં વાંજિત્રે વાગે, મારી સાથે મંત્રી, મહામંત્રી અને નગરના નરનારીઓ મોટી સંખ્યામાં ચાલે અને અમો બધાં નગરની બહારના ઉપવનમાં મેટા નાના કેઈ ને જરાપણ પીડા ન થાય એ સાવચેતીપૂર્વક આનંદભરી ઉજાણે ઉજવવા જઈએ.” “અરિહંત પરમાત્માના શિખરબંધી ભવ્ય જિના

Loading...

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456