________________
સિદ્ધાર્થ રાજાને ત્યાં ધન ધાન્યાદિકની વૃદ્ધિ
૩ર૭
પાઠકની રાજસભામાંથી વિદાયગિરી થયા પછી સિદ્ધાર્થ રાજા સિંહાસન ઉપરથી ઉભા થઈ જવનિક માં ત્રિશલા ક્ષત્રિયાણી પાસે આવ્યા અને કદાચ કઈ વાત સાંભળવામાં ન આવી હોય એ આશયથી સ્વપ્નલક્ષાણુ–પાઠકના મુખેથી શ્રવણ કરેલ ચદેય સ્વપ્નમાં સર્વોત્તમ ફળને સમગ્ર વૃત્તાંત ત્રિશલા ક્ષત્રિયાણી પાસે કહી સંભળાવ્ય ત્રિશલાક્ષત્રિયાણી પણ એ સમગ્ર વૃત્તાંત શ્રવણ કરી અત્યંત પ્રસન્ન થયા. અને પાર્શ્વનાથ પ્રભુનાં શાસનની આરાધના સાથે આનંદમાં સમય પસાર કરવા લાગ્યા. સિદ્ધાર્થ રાજાને ત્યાં ધન-ધાન્યાદિકની વૃદ્ધિ
જ્યારથી ભગવાન મહાવીર દેવાનંદાની કુક્ષિમાંથી ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં પધાર્યા ત્યારથી સિદ્ધાર્થ ક્ષત્રિયના સત્કાર-સન્માન સાથે યશકીતિની વૃદ્ધિ શરુ થઈ ગઈ. તેમજ સિદ્ધાર્થ ક્ષત્રિયને ત્યાં તેમના સમગ્ર જ્ઞાનકુલમાં રાજ્યમાં અને રાષ્ટ્ર પ્રજાજનેમાં ધન-ધાન્યની અદ્ધિ-સિદ્ધિ-સંપત્તિની વૃદ્ધિ શરૂ થઈ ગઈ. જેનું વંશવારસામાં કઈ માલિક ન હોય એવા ભૂમિ વગેરે સ્થળે રહેલા મહાનિધાનેને ઉપાડી ઉપાડીને ઈન્દ્ર મહારાજની આજ્ઞાથી દેવે સિદ્ધાર્થ ક્ષત્રિયનાં રાજમહેલમાં લાવવા લાગ્યા, અને દિનપ્રતિદિન આનંદ-કલેલની પરંપરામાં વધારો થતો ગયે. વર્ધમાન કુમાર નામ સ્થાપનને મનોમન
નિર્ણય ભગવાન મહાવીરને આત્મા ચોવીસમા તીર્થકરને