________________
વિશતિસ્થાનકનું વિવેચન-અરિહંત પદ
૨૧૧ સર્વજીની આત્મકલ્યાણની સર્વોત્કૃષ્ટ ભાવના પ્રગટ થાય તે એ ભવ્યાત્મા તીર્થંકર નામશેત્રને પણ બંધ કરે છે, અને ભાવિકોલે અરિહંત પદ પામે છે. વિશ્વમાં અરિહંત ભગવંત જેવા બીજા કોઈ પરપકારી નથી.
આ અખિલ વિશ્વમાં અરિહંત ભગવંત જેવા કઈ બીજા પરોપકારી મહાપુરુષ નથી. અનંત કાળથી સંસાર અટવીમાં ઘોર અજ્ઞાન અંધકારના કારણે રખડતા-રઝળતા અને વિવિધ પ્રકારના ભયંકર દુઃખો ભેગવતા ભવ્યજીના આત્મમંદિરમાં જ્ઞાન અને ચારિત્રને દિવ્ય પ્રકાશ પ્રગટાવી સાદિ અનંત ભાગે અક્ષય અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરાવનાર કોઈ પણ હોય તે વિશ્વવંદનીય અરિહંત ભગવંતે પ્રવર્તાવેલ ધર્મતીર્થ જ છે. આ અખિલ વિશ્વમાં જે એક અરિહંત ભગવાન અને તેઓએ પ્રવર્તાવેલ ધર્મતીર્થને અભાવ હોત તે આ વિશ્વની તેમજ વિશ્વતિ જીની શું સ્થિતિ હત! એ કલ્પના કરવી પણ ઘણી મુશ્કેલ છે.
અરિહંત પરમાત્મા મહામાહણ છે; અરિહંત ભગવાન મહાનિર્ધામક છે, અરિહંત ભગવંત મહાપ છે અને એ દેવાધિદેવ અરિહંત પ્રભુ મહાન સાર્થવાહ પણ છે. કોઈ પણ અરિહંત ભગવાન અરિહંત પરમાત્માની તેમજ તેમણે પ્રવર્તાવેલ ધર્મ તીર્થની અસાધારણ ભકિતને કારણે જ અરિહંત થાય છે. સિદ્ધપદ, આચાર્ય પદ, ઉપાધ્યાયપદ તેમજ સાધુપદ એ બધાયનું મૂલ અરિહંત ભગવાન અને અરિહંત પ્રભુએ પ્રવર્તાવેલ ધર્મતીર્થ સિવાય બીજું કઈ નથી, “ધન્ય છે એ અરિહંત ભગવંતને કે જેઓએ વિશ્વના સર્વજીની