________________
२६६
શ્રમણ ભગવાન મહાવીર
સૂતાં જાગતા કે જીવનની હરકેઈ પ્રવૃત્તિ કરતાં એમના અંતરમાં આ ત્રીભાવનાનું એકધારું રટન ચાલે છે. અને એ પવિત્ર ભાવનાની પરાકાષ્ઠાને કારણે એ વિભૂતિ ભાવિ કાલે તીર્થકર ભગવાન થવાની યેગ્યતા પાછળના ત્રીજા ભવમાં નિશ્ચિત કરે છે. અને તીર્થકર નામકર્મને નિકાચિત બંધ કહે છે.
એ ત્રી ભાવનાને અમલ કરવાના અભિલાષમાં ને અભિલાષમાં એ ભવનું જીવન પરિપૂર્ણ થાય છે. અને મેટે ભાગે તીર્થકર ભગવાન થનાર એ દિવ્ય આત્મા દેવગતિમાં વૈમાનિક નિકાયમાં ઉત્પન્ન થાય છે. અસંખ્ય કાલ. પર્યત અનાસકત ભાવે દેવલોકના દિવ્ય સુખનો ભગવટો એ વૈમાનિક નિકાયમાં (દેવલોકમાં) ચાલુ રહે છે. સાથે સાથે સમ્યદર્શન ગુણની વિશુદ્ધિના પ્રભાવે વિશ્વના સર્વ જી સાથે ત્રિી સાધવાની ભાવનાને પ્રકાશ પણ અવિચ્છિન્નપણે ટકી રહે છે. - જિનમૂર્તિ, જિનમંદિર, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિંકા જિનશાસનમાં આ સાતેય ઉત્તરોત્તર ઉતરતા ઉતરતા પણ સુપાત્ર ક્ષેત્રો છે. નીચેના ક્ષેત્રાનું દ્રવ્ય ઉપરના ક્ષેત્રોમાં વપરાય પણ ઉપર ઉપરના ક્ષેત્રો માટે નિયત થયેલ દ્રવ્ય નીચેના ક્ષેત્રમાં ન વપરાય આ જૈન શાસનની વ્યવસ્થિત મર્યાદા છે જે અવસરે જે ક્ષેત્ર સીદાતું હોય તે અવસરે પહેલેથી જ વિવેક પુર્વક એ ક્ષેત્રને પુષ્ટ કરવા માટે ધ્યાન દેવું ઘણું સુંદર છે. પણ પ્રભુ-ભકિતના ક્ષેત્રમાં અર્પિત થએલું દ્રવ્ય સાધર્મિકના ઉત્કર્ષ માટે વાપરવાનો વિચાર કરવો એ શાસનની કઈ પણ વ્યકિત માટે હિતાવહ નથી.
ધર્મવાણી પુસ્તિકામાંથી