________________
૨૬૨
શ્રમણ ભગવાન મહાવીર કાકાશના ઊર્ધ્વ, મધ્ય, અને અધોલેકના વિભાગો
આ કાકાશ કિવા અખિલ વિશ્વ ઊર્ધક, તિયંગ (મધ્ય) લેક અને અધોલેક એમ મુખ્યત્વે ત્રણ વિભાગમાં વહેંચાયેલ છે. પૃથ્વી, પાણી, વગેરે તરીકે ઉત્પન્ન થયેલા
જીવાત્માએ આ ત્રણે પ્રકારના લેકમાં પ્રાયઃ સર્વત્ર વ્યાપીને રહેલા હોય છે. એમ છતાં ઊર્વલેકમાં મુખ્યત્વે ભૌતિક સુખને, અસંખ્ય વર્ષે પર્યત અનુભવ કરનારા દેવેનું સ્થાન હોય છે. મધ્યલોકમાં બહુલતાએ માન અને પશુ પક્ષીઓની ઉત્પત્તિનું સ્થાન છે. અને રોગ શોક વગેરેને કારણે અસંખ્ય કાળ પર્યત, વધુ પ્રમાણમાં દુઃખે ભોગવનારા જીવાત્માઓ જેને નારકી તરીકે સર્વ ધર્મ સંપ્રદામાં સંબોધવામાં આવે છે. તેઓનું સ્થાન અધેલકમાં છે. માનવ જન્મની મહત્તા તેમજ તેની ઉન્નતિ અને
અવનતી. અંતરંગ દૃષ્ટિએ જીવાત્માની ઉન્નતિ અને અવનતિની છેલ્લી સીમાએ પહોંચવા માટે કઈપણ જન્મ હોય તે તે માનવ જન્મ છે. મધ્યલોકમાં વર્તતુ અનેક ક્ષેત્રો કિંવા વિભાગમાં ક્રોડે અને અબજોની સંખ્યામાં માનવે જમે છે એમ છતાં દરેક ક્ષેત્રમાં માનવે ઉન્નતિ કે અવનતિની છેલ્લી સીમાએ પહોંચી શકતા નથી. અમુક ક્ષેત્રને પ્રભાવ જ એ હોય છે કે ત્યાંની માનવ શકિત મર્યાદિત ઉન્નતિ કે અવનતિ માટે જ કામ કરે છે. આ ક્ષેત્રોને શાસ્ત્રમાં અકર્મભૂમિ કહેલ છે. જ્યારે અમુક ક્ષેત્રો એવા છે કે જે ત્યાંના માનને સાનુકૂળ નિમિત્ત હોય અને માનવશકિતનો આધ્યાત્મિક