________________
હું છેલા ર૭ મા ભવનો પ્રારંભ ?
નોંધ:- ર૭ મા ભવનું વર્ણન કરતાં પહેલાં પૂજ્ય ગુરૂદેવ રમા ભવના અનુસંધાનમાં અનિવાર્ય એવી કેટલીક બાબતની ભૂમિકા બાંધે છે. એમાં કેટલીય મહત્વની તાત્વિક, આધ્યાત્મિક બાબતો રજૂ કરીને તારક તીર્થંકરદેવો વિશ્વમાં કયા સ્થળે જન્મ લે છે તે સ્થળનો પરિચય વાંચકોને કરાવવો હોવાથી જેનભૂળ દ્વારા તે સ્થળને નિર્દેશ કરી ૨૭ મા ભવનું વર્ણન શરુ કરશે.
–સંપા, યાયિ. આત્મા વગેરે દ્રવ્યોનું સ્વરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ આ વિશ્વ અનાદિ-અનંત છે. આ વિશ્વમાં જે જીવાત્માઓ છે તેની સંખ્યા અનંત છે. એ અનંત જીવાત્માઓ પૈકી કઈપણ જીવાત્માની- કેઈપણ કાળે ઉત્પતિ થયેલ નથી. અને આ અપેક્ષાએ એ જીવાત્માઓ અનાદિ છે. એ જ પ્રમાણે એ સર્વે જીવાત્માઓ પૈકી કઈપણ જીવાત્માને સર્વથા વિનાશ થયે નથી, થતો નથી અને ભાવિકાળે થવાને પણ નથી. જે જીવાત્મા છે તે સદા સર્વથા જીવાત્મા જ રહેવાને છે. એ કારણે જીવાત્માઓ સંખ્યાની અપેક્ષાએ જેમ અનંત છે તેમ કાળની અપેક્ષાએ પણ અનંત છે. જે પ્રમાણે જીવાત્માએ અનાદિ-અનંત અર્થાત્ શાશ્વત છે. તે જ પ્રમાણે