________________
૨૨૪
શ્રમણ ભગવાન મહાવીર
વિચારે આવે છે તે સર્વ વિચારોને આ ચાર પ્રકારના ધ્યાનમાં સમાવેશ થાય છે. આ ચાર પ્રકારના ધ્યાનમાં રેન્દ્ર ધ્યાન સહુથી ખરાબ-દુષ્ટ ધ્યાન છે. એ ધ્યાનમાં આત્મા વર્તતે હોય તે જ અવસરે તે આત્માને પરભવના આયુબને બંધ પડે તે નરકગતિના આયુષ્યને જ બંધ પડે છે. આ રૌદ્રધ્યાન પ્રસંગે અંતરાત્મામાં વિશિષ્ટ પ્રકારની કરતા વગેરે ઉગ્ર દૂષણો પ્રગટે છે. વાઘ, વરૂ, દીપડા, બિલાડા, કળી, વાઘરી કસાઈ, ચેર તેમ જ વધુ પડતા લેભી આત્માઓ આ રીદ્ર ધ્યાનના અધિકારી છે, આર્તધ્યાન એ પણ અશુભ ધ્યાન છે, છતાં રોદ્ર ધ્યાનનાં જેવી એ ધ્યાનમાં દુષ્ટતા નથી, કેઇપણ જીવાત્માને જ્યાં સુધી જીવનમાં વાસ્તવિક ધર્મનું સ્થાન પ્રાપ્ત નથી થયું ત્યાં સુધી એ જીવાત્માને આર્ત અને રૌદ્ર બને ધ્યાનને સંભવ છે. એમ છતાં રૌદ્રધ્યાનના કાળની અપેક્ષાએ આનંધ્યાનનાં કાળનું પ્રમાણ ઘણું વધારે છે. અનંતકાળથી અજ્ઞાન ભાવને કારણે પરપદાર્થોની અનુકૂળતામાં આત્માને જે સુખ મનાયું છે તે આર્તધ્યાન છે. એ પરપદાર્થોને મેળવવાની રાત્રિ દિવસ ચિંતા એ પણ આર્તધ્યાન છે. એ પરપદાર્થોને વિયોગ થાય એટલે શેક સંતાપ કરે એ પણ આર્તધ્યાન છે, એ પરપદાર્થોની પ્રતિકૂળતા થયા બાદ અનુકૂળતા ઉભી કરવા માટે સતત વિચારે એ પણ આ ધ્યાન છે. “મારા વર્તમાન કે ભાવિ જીવનમાં આ પર પદાર્થોની અનુકૂળતા સિવાય મને બીજી કઈ વસ્તુની ઇચ્છા નથી.” આ તીવ્ર પરિણામ તે પણ સર્વોત્કૃષ્ટ આર્ત