________________
[ ૧૬ ]
દેવલાક અને મહર્ષિંક દેવ
પ્રિયમિત્ર ચક્રવર્તીના ભવમાંથી શ્રમણ ભગવાન મહાવીર દેવના આત્મા ચાવીશમા ભવમાં વૈમાનિક નિકાયના બાર દેવલેાક પૈકી સાતમા શુક્ર નામના દેવલેકમાં મહુદ્ધિ ક દેવ તરીકે ઉત્પન્ન થયેલ છે. મનુષ્યમાં મનુષ્યપણું સમાન છતાં બધાય મનુષ્ય એક સરખા જેમ નથી હાતા. આયુબ્ય, સુખ-દુઃખ, બુદ્ધિબલ અને આધ્યાત્મિક વિકાસ વગેરે અનેક બાબતમાં જેમ મનુષ્ય--મનુષ્યમાં પણ તફાવત છે, તે જ પ્રમાણે દેવલામાં વર્તતા ચારે ય નિાયના દેવામાં દેવપણું સમાન છતાં આયુષ્ય, બુધ્ધિબલ ઋદ્ધિ સિદ્ધિ તેમ જ આધ્યાત્મિક વિકાસની અપેક્ષાએ અનેક પ્રકારની તરતમતા હાય છે.
દેવલાકમાં સર્વથી ઉત્તમ કોર્ટના દેવા
દેવલાકમાં ભવનપતિ. વ્યંતર, જ્યેાતિષી અને ત્રૈમાનિક એમ મુખ્યત્વે ચાર વિભાગે છે. એક એક વિભાગમાં ઇંદ્ર, સામાનિક યાવત્ પ્રકીણુ ક વગેરે અનેક વિભાગે છે. અને એ વિભાગેામાં પણ પુણ્યપ્રકૃતિની તરતમતાના કારણે અનેકાનેક પેટા વિભાગેા છે, ભવનપતિ વગેરે ચારે ય મુખ્ય વિભાગામાં મુખ્ય–પ્રધાન સ્થાન વૈમાનિક દેવાનુ છે અને