________________
આરાધનાની સફળતા
- ૨૦૧
થાય) અને પછી જ નરકગતિમાં આત્મા ઉત્પન્ન થાય, એમ છતાં વર્તમાન ભવમાં દેવ-ગુરુ-ધર્મની આરાધના કરવા દ્વારા મેહનીય કર્મની જે લઘુતા કરેલ છે. તેના કારણે નરકગતિમાં ઉત્પન્ન થયા બાદ અંતર્મુહૂર્ત પછી અથવા યોગ્ય સમયે એ આત્મા નારકીના ભાવમાં પુનઃ સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે અને એ સમ્યગદર્શનના સહ
ગથી નરકગતિને લાયક જે આરાધના શકય હોય તે આરાધનાને તે આત્મા લાભ પ્રાપ્ત કરે છે. આરાધનાની સફળતા નરકગતિમાં કેવી રીતે ?
અહીં સહજ પ્રકન થાય કે-નરકગતિમાં દેવ નથી, ગુરુ નથી અને સામાયિક વગેરે છ આવશ્યકમય ધર્મ નથી, તે ત્યાં સમ્યગ્દર્શન હેવા છતાં આરાધનાને લાભ કેવી રીતે પ્રાપ્ત થાય ? આ પ્રશ્નના સમાધાનમાં એમ સમજવું જોઈએ કે–ભલે નરકગતિમાં દેવ-ગુરુ અને છ આવશ્યકમય ધર્મ નથી પણ દેવ-ગુરુ અને છ આવશ્યમય સાધનની હાજરીમાં આરાધનાનું વાસ્તવિક સ્થાન આપણું આત્મામાં જ છે. દેવ-ગુરુ અને આવશ્યકમય ધર્મ વગેરે સાધનની હાજરી હોય અને આત્મા આરાધક હેવા સાથે આરાધનામાં વિશિષ્ટ વિલાસ પ્રગટ કરે તે માનવજીવનમાં યાવત સકલકર્મને ક્ષય થવા પૂર્વક નિર્વાણપદને પણ પામે. નરકગતિમાં એ નિર્વાણપદની શક્યતા એગ્ય આરાધના નથી, એ વાત જેમ બરાબર છે તેમ સર્વથા આરાધના ન જ હોય એ પણ બરાબર નથી. છે. ભ. ભ. ૨૪