________________
સંયમ એ મોક્ષનું સાધન છે.
૧૯૯ કારણે વિરતિ તરફનું બહુમાન તેમજ અભિરુચિ ઘણી ઉચ્ચકોટિની પ્રવર્તે છે. ઈન્દ્રાદિ સમ્યગ્દષ્ટિ દેવો જ્યારે પિતાના સિંહાસન ઉપર બિરાજમાન થાય છે તે અવસરે વિરતિને પ્રણામ કરીને ઇદ્રસભામાં બેસે, “મેરે પ્યારે એ વ્રત જગમાં દી” આ કથન પ્રમાણે મનુષ્યલોકમાં વર્તતા બ્રહ્મચર્ય વગેરે વિરતિવંત આત્માઓને નમસ્કાર કરીને પછી સિંહાસન ઉપર બેસે છે. ઉપરાંત ભેગેપગની સર્વાગસુંદર સામગ્રી છતાં એ દિવ્ય સામગ્રીન ભેગો પગમાં એ દેવેને આનંદના સ્થાને ઉદાસીનતા હોય છે. પરિણામે મેહનીય કર્મના સ્થિતિબંધ તથા રસબંધની અને તેની પાછળ અન્ય કર્મોના સ્થિતિબંધાદિકની તીવ્રતા થવાને પ્રસંગ નથી આવતું. આ કારણે જ દેવલોકનું આયુષ્ય પૂર્ણ થયા બાદ એ સમ્યગદષ્ટિ દેવને આત્મા જ્યાં વીતરાગ પ્રભુના શાસનને અનુકુલ ગ હેય એવા દ્રવ્ય-ક્ષેત્ર -કાળ તેમ જ ભાવને ભવાંતરમાં અવશ્ય પ્રાપ્ત કરે છે. | આપણું શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના આત્માની પણ આજ પરિસ્થિતિ છે. અને શુક નામના દેવલોકમાં સત્તર સાગરોપમનું આયુષ્ય પૂર્ણ થયા બાદ પચીશમા ભવે જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં છરા નામની નગરીમાં જિતશત્રુ રાજાની ભદ્રા રાણની કુક્ષિમાં ગર્ભ પણે અવતર્યા છે. ગર્ભકાળ-પરિપૂર્ણ થયા બાદ એગ્ય સમયે સર્વલક્ષણસંપન્ન પુત્ર-રત્નને જન્મ થયે. માતા પિતાએ પુત્રનું નંદનકુમાર નામ સ્થાપન કર્યું. બીજના ચંદ્રની માફક પુત્રરત્નની કમશઃ વૃદ્ધિ થવા લાગી અને એગ્ય વયે ધર્મકળા