________________
ધર્મની આરાધનાનું વાસ્તવિક ફળ
૧૭૧
શમ-ક્ષાયિક ભાવ છે. જે જે આત્માએ મેહનીયના તીવ્ર ઉદયવાળા છે તે આત્માઓના અંતરાય વગેરે બધાય કર્મો તીવ્ર ગણવામાં આવે છે. જે આત્માને મેહનીચના ઉપશમ ક્ષેપશમ-ક્ષાયિક ભાવ પ્રાપ્ત થયેલ છે તે આત્માના અંત રાય વગેરે બધાય કર્મો મંદ ગણવામાં આવે છે.
ધર્મની આરાધનાનું વાસ્તવિક ફળ ધર્મની આરાધનાનું વાસ્તવિક ફળ, ધન-સંપત્તિ કે ભોગ-ઉપભેગની વિપુલ સામગ્રી નથી પણ મોહને ઉપશમક્ષપશમ અર્થાત્ મેહની મંદતા અને પરંપરાએ મેહને સર્વથા અભાવ છે. મેહનીય કર્મને એકવાર પણ જે ઉપશમ-પશમ પ્રાપ્ત થઈ જાય તો બાકીના બધાય કર્મોની લઘુતા થવામાં વિલંબ ન લાગે, માટે મેહની અલ્પતા કરવાના સદાશયથી જ ધર્મની આરાધના કરવાનું જૈન શાસ્ત્રોમાં સ્થળે સ્થળે પ્રતિપાદન કરવામાં આવેલ છે અને એ સદાશયથી જે ભાગ્યવાન આત્મા ધર્મની આચરણ કરે છે, તેને સમ્યગ્દર્શનાદિ આત્મિક ગુણવૈભવની પ્રાપ્તિ સાથે વિના પરિશ્રમે ચક્રવતી પણું તેમજ ઈન્દ્રાદિપદને ઠીભવ પ્રાપ્ત થાય છે.
વિમલમુનિના ભવની આરાધના - ભગવાન મહાવીર પ્રભુના આત્માએ પણ બાવીશમા વિમલ રાજાના ભવમાં સંયમ ગ્રહણ કરવા પૂર્વક સમ્યગુદર્શનાદિ રત્નત્રયીની સુંદર આરાધના કરી હતી અને એ આરાધના વડે ભગવંતના આત્માને મોહનીય કર્મની વિશિ