________________
૧૬૮
શ્રમણ ભગવાન મહાવીર
સુંદર સાધન સામગ્રીઓ એ પ્રિયમિરા રાજાને આંગણે આપોઆપ હાજરાહજુર રહેતી હતી. એમ છતાં મેહનીય કમને વિશિષ્ટ ક્ષપશમ થયેલ હોવાથી પ્રિય મિત્રનો આત્મા એ બધી સામગ્રીની હાજરીમાં પણ નિર્લેપ હતે.
રાજા પ્રિય મિત્ર રાજ્યગાદીની પ્રાપ્તિ થયા બાદ ધર્મ, અર્થ અને કામ એ ત્રણેય પુરૂષાર્થને ગણ મુખ્યતાની અપેક્ષાએ પરસ્પર બાધ ન પહોંચે તે પ્રમાણે સુંદર રીતે રાજ્યનું પાલન અને પ્રજાનું સંરક્ષણ કરવા ઉપરાંત શ્રાવક ધર્મને ઉચિત દાન, શીલ, તપ અને ભાવ ચારેય પ્રકારનાં ધર્મની પ્રશસ્ત આરાધનામાં નિરંતર ઉજમાળ હતા, રાજાના પુન્ય-બલના કારણે રાજગાદી પ્રાપ્ત થયા બાદ ધન-ધાન્ય, ત્રાદ્ધિ-સિદ્ધિ વગેરે અનેક પ્રકારે સુખ-સંપતિના સાધનમાં દિનપ્રતિદિન અભિવૃદ્ધિ થતી હતી. પ્રિય મિત્રના ભવમાં ચક્રવતીપણુની ગ્યતા
પરંતુ રાજા પ્રિય મિત્રની પુણ્યપ્રકૃતિના વિપાકેદય દ્વારા પ્રાપ્ત થનાર બાહ્યસુખના સાધનોની સામગ્રી સામાન્ય રાજ્ય ઠભવમાં પૂર્ણ થાય તેમ ન હતી. પ્રિય મિત્ર રાજાએ પોતાના ગત જન્મમાં જે સંયમાદિ મેફસાધક યોગેની આરાધના કરી હતી, તેને કારણે મોહનીયકર્મના સ્થિતિ બંધમાં તથા રસબંધમાં ઘણું અલ્પતા થવા ઉપરાંત આયુ
ખ્યકર્મ સિવાયના બાકીના કર્મોની સ્થિતિનું પ્રમાણ પણ ઘણુ અલપ કર્યું હતું, તેમજ અધાતિકમીની પુણ્યમફતિઓમાં વિશિષ્ટ પ્રમાણમાં એ શુભરસ ઉપાર્જન કર્યો