________________
૧૨૨
શ્રમણ ભગવાન મહાવીર
છેવટે “આજ સુધીની મારી સમગ્ર તપશ્ચર્યા અને ઉત્કટ સંયમારાધનાનું જે કઈપણ ફળ પ્રાપ્ત થવાનું હોય તે ફળમાં મને ભવાન્તરમાં વધુમાં વધુ શારીરિક બળની પ્રાપ્તિ હો.” આ નિયાણું કરવાના અધ્યવસાયે પાપાનુબંધિ પુણ્યનું કારણ હતું.
તે કારણથી જ વાસુદેવના ભવમાં ઉગ્ર પાપ કરીને ભવિષ્યમાં ભગવાન થનાર એ પણ વાસુદેવને આત્મા એક વાર સાતમી નરકમાં પહોંચી ગયે.
એકલા ત્રિપૃષ્ઠ વાસુદેવ માટે જ આ પ્રમાણે બન્યું છે એમ સમજવાનું નથી. પરંતુ પ્રત્યેક ઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં પંદર કર્મભૂમિ પૈકી કેઈપણ કર્મભૂમિમાં ઉત્પન્ન થનારા દરેકે દરેક વાસુદેવે નિયાણપૂર્વક જ વાસુદેવ બનતા હોય છે. અને વાસુદેવના ભવમાં ઘેર પાપો કરી મરીને નિયતપણે નરક ગતિમાં ચાલ્યા જાય છે. બલદે અને વાસુદેવના અંતરંગ જીવનની તરતમતા - વાસુદેવે અને બલદે હંમેશાં સગા બંધુઓ છે. એક જ પિતાના બંને પુત્ર હોય છે. પરંતુ ખૂબી તે એ છે કે બન્નેના અંતરંગ જીવનમાં આભ-જમીનનું અંતર હોય છે.
વાસુદેવે નિયતપણે પાપાનુબંધી પુણ્યદયવાળા જ હોય છે. જ્યારે બલદે તેથી વિપરીત નિશ્ચિતપુણ્યાનુબંધી પુણ્યદયવાળા હોય છે.