________________
વાસુદેવના નામ-સમય–ગતિ
૧૩૧
મંદ રસવાળી હોવાથી વ્યકત અનુભવમાં બહુલતાએ પાપદયજન્ય દુઃખનું જ પ્રમાણ રહે છે. પુણ્ય પ્રકૃતિને અમુક પ્રમાણમાં ભગવટે ચાલુ હોવા છતાં તેનાથી સુખને અનુભવ તે થતું નથી. પરંતુ દુઃખને ભેગવટામાં તીવ્રતા ઉભી કરવામાં એ પુણ્યપ્રકૃતિઓ કેટલીવાર મદદગાર બનતી હોય.
આવા સંજોગોમાં નારકીના અને ક્ષણભર પણ સુખ કે શાન્તિને અનુભવ લગભગ અસંભવિત હોય છે.
ફકત જગતના સર્વજોના કલ્યાણ અને શાંતિ માટે જ જે પરમાત્માનો અવતાર થાય છે, એવા વિશ્વવત્સલ ભગવાન તીર્થંકર દેવેના કલ્યાણક અવસરે જ નિરંતર દુઃખમાં રિબાતા એ નારકીના જીવને ક્ષણભર શાતાને અનુભવ થાય છે.
નરકમાં બીજી વેદનાઓ
નારકીમાં ઉત્પન્ન થયેલા આ જીવોને ઉપર જણાવ્યા મુજબ એકલી રેગજન્ય શારીરિક વેદનામાં જ દુઃખની સમાપ્તિ થતી નથી.
પરંતુ ત્યાંનું ક્ષેત્ર કિવા ભૂમિજન્ય શીત અને ઉષ્ણ વેદનાઓ પણ અતિશય ભયંકર હોય છે ઉપરાંત એ નારકોના જીવનમાં બહુલતાએ ક્રોધ કષાય તીવ્ર ઉદયવાળા હવાથી હંમેશા પરસ્પર ઝઘડા...મારામારી...કાપાકાપી અને કલેશ-કંકાસનું પણ એટલું બધું પ્રમાણ હોય છે કે