________________
નિયાણું એ ઉગ્ર પાપ છે
૧૩૯
અંતરમાં એ પાપની વેદના વતી હાય તા એ પાપની પરંપરા નથી ચાલતી.
એ પાપનાં ફળેા અત્યંત હળવા સ્વરૂપે ભાગવાય છે, અને જે અવસરે ભોગવાય છે, તે અવસરે પણુ વિપાકવિચય ધર્માંધ્યાનનું અંતરાત્મામાં સ્થાન હાવાથી અનંતરપણે યા પર પરપણે મોક્ષ પ્રાપ્ત કરાવનાર સકામનિર્જરાના આત્માને લાભ મળે છે.
જે આત્મા પાપને પાપ તરીકે જાણતા નથી અને જાણતા હાય તા પાપને પાપ તરીકે ગણતા નથી, અને તેથી નિડરપણે પાપની પ્રવૃત્તિમાં ચકચૂર બને છે, એટલુ` જ નહિ પણ કરેલા પાપના પશ્ચાત્તાપને સ્થાને એનામાં આનંદ, પ્રમાદ વર્તતા હાય તો એક બીજા પાપમાંથી અનેક પાપોની પરંપરા ઉભી થાય છે, અને અનેક જન્મ પર્યંત એ આત્માને દુર્ગાંતિમાં પરિભ્રમણ કરવું પડે છે.
નિયાણું એ ઉગ્ર પાપ છે.
પ્રભુના આત્માને ૧૬ મા વિશ્વભૂતિના ભવમાં ચારિત્ર ગ્રહણ કર્યાં બાદ વિશાખાન'દીએ ઉપહાસ કર્યાં, ત્યારે નિયાણું કરવાનું એવું ઉગ્ર પાપ શરૂ થયું કે પછી અનેક ભવા સુધી એની પર પરા ચાલી.
અઢારમા ભવમાં ત્રણ ખંડનું ઐશ્વય ભોગવનાર વાસુદેવ થવા છતાં શય્યાપાલકનાં કાનમાં ઉકાળેલું કથીર રેડાવવાનું ઉગ્ર પાપ આચરવાના જે અશુભ પ્રસંગ આળ્યે, તે