________________
૪૦
શ્રમણ ભગવાન મહાવીર
સંપન્ન પુન્યવંત શ્રાવકે પિતાના સાધર્મિકબંધુઓ કે માનવબંધુઓના જીવનવ્યવહારની અનુકૂલતા માટે સદાય જાગૃત રહી પિતાની ફરજ બજાવતા હોય તે આ પ્રશ્નને પ્રસંગે ઉપસ્થિત જ ન થાય. સાધુએ શાસ્ત્રોક્ત મર્યાદાને સાચવીને ઉત્તમ શ્રાવકને પોતાના કર્તવ્યનું ભાન કરાવે અને એ સાધુઓએ આપેલા માર્ગદર્શન પ્રમાણે શ્રાવકે સદાય કર્તવ્યપરાયણ રહે. આ પરિસ્થિતિ જે સર્જાય તે બધું જ વ્યવસ્થિત બને. મરિચિને માંદગી પ્રસંગે થયેલી શિષ્ય કરવાની ઈચ્છા - મરિચિ બિમાર હતા. સાધુએ તેની વૈયાવચ્ચ (સેવાચાકરી) તેના અસંયમીપણાના કારણે નથી કરતા. એટલે મરિચિના દિલમાં વિચાર જાગે છે કે-“પારકા એ પારકા, પિતાના એ પોતાના આજ સુધી આ સાધુઓની સાથેજ હું રહું છું તેમજ મારા ઉપદેશથી જે કઈ મહાનુભાવે પ્રતિબંધ પામી સંયમ ગ્રહણ કરવા ઉજમાળ બને છે તે બધાયને તેમની પાસે દીક્ષા ગ્રહણ કરવા મોકલું છું, પણ મારી વર્તમાન બિમારીમાં આટલા વિશાળ સમુદાયમાંથી મને કઈ ઉપગમાં નથી આવતા, એમાં એ સાધુપુરુષને દેષ નથી. તે સાધુએ તે મારા માટે સદાય ભાવયાની ભાવના રાખી રહ્યા છે. હું પ્રથમ ગ્રહણ કરેલા શુદ્ધ સંયમ માર્ગમાં ટકી રહ્યો હોત તે એ ગુણવંત સાધુએ મારી હૈયાવચ્ચ કરવામાં જરાય ખામી ન રાખત. વળી હું અસં. યમી, એ સાધુમુનિવરે સંયમી, એ સંયમી ગુણવંત