________________
અઢારમે ભવ “ત્રિપૃષ્ઠવાસુદેવ
૧૦૧ દેવજ્ઞના વચન સાચાં પડવાથી તેનું હૈયું વધુ ગમગીન બની ગયું. ત્રિપૃષ્ઠકુમાર સાથે સ્વયંપ્રભાનું પ્રાણિગ્રહણ
અષ્ટાંગનિમિત્તના જાણકાર દૈવસે પ્રતિવાસુદેવનાં મૃત્યુ માટે રજુ કરેલ બને બાબતો સાચી પડતાં ત્રણ ખંડના અધિપતિ અવીવનું અંતઃકરણ અત્યન્ત વ્યાકુળ બની જાય તે સ્વાભાવિક હતું. અગ્રીવના આત્માને કયાંય શાંતિ પ્રાપ્ત થતી નથી, દિવસે અને રાત્રિએ અશાંતિમાં જ પસાર થાય છે. એ દરમ્યાન પિતાની આજ્ઞામાં વર્તતા વિદ્યાધર વલજીએ ગ્ય વયે પહોંચેલી પિતાની પુત્રી સ્વયંપ્રભાનું ત્રિપૃષ્ણકુમારની સાથે પાણિગ્રહણ કરાવ્યાના પ્રતિવાસુદેવને સમાચાર મળતાં એના અંતઃકરણમાં પ્રચંડ ઈર્ષ્યાગ્નિ પ્રગટ થવા ઉપરાંત અશાંતિમાં ઓર વધારો થયે. મારી આજ્ઞામાં વર્તતે વિદ્યાધર પિતાની પુત્રીનું મારા સિવાય બીજાની સાથે કેમ પાણિગ્રહણ કરાવી શકે ? વિદ્યાધરે ભલે ગમે તે કારણે તે પ્રમાણે પ્રાણિગ્રહણ કરાવ્યું. પરંતુ ત્રિપૃષ્ણકુમારે શા માટે એ વિદ્યાધરપુત્રીનું પાણિગ્રહણ કર્યું ? “આ વિદ્યાધર પુત્રી માટે એગ્ય નથી. આ સ્ત્રીરત્ન તે ત્રણ ખંડને સ્વામી અધગ્રીવના અંત પુર માટે રોગ્ય છેઆ બાબત કેમ એ કુમારને ખ્યાલમાં ન આવી? વિદ્યાધરે તથા ત્રિપૃષ્ઠકુમારે ગમે તે કર્યું પણ એ સ્ત્રીરત્ન સ્વયંપ્રભાને મારા અંતઃપુરમાં બેસાડું તે જ હું સાચે પ્રતિવાસુદેવ !” આ પ્રમાણે નિર્ણય કરી સ્વયંપ્રભાની માંગણી માટે ત્રિપૃષ્ણકુમાર પાસે પોતાના દૂતને રવાના કર્યો.