________________
७४
શ્રમણ ભગવાન મહાવીર
અજીવ એ ત્રણેય કાળમાં અજીવ જ છે તેમ ભવ્ય કઈ પણ કાળે અભવ્ય ન થાય અને અભવ્ય કોઈપણ કાળે ભવ્ય ન થાય. જેના દર્શનને આ સનાતન સિદ્ધાંત છે.
ગુણસ્થાનકેમાં આરોહ-અવરોહ નયસારના ભાવમાં ભગવાન મહાવીર દેવના આત્માને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી મરિચિન ભવ, વિવભૂતિ મુનિને ભવ વગેરે ભવમાં આત્માના વિકાસક્રમની અપેક્ષાએ આરોહઅવરેહની પરિસ્થિતિ ચાલુ રહેલ છે. એક બાજુથી રાજ્યવૈભવને પરિત્યાગ કરવા સાથે સંયમને સ્વીકાર અને ઉગ્રતપમય જીવનમાં કે ઉચ્ચ કક્ષાનો આત્મિક વિકાસ, એ જ સંયમી જીવનમાં જરા પિતાના ઉપહાસને પ્રસંગ પ્રાપ્ત થતાં અહંભાવના કારણે નિયાણું બાંધવા જેવી કયાં આત્માના અવરેહની એકદમ અધોગામી દશા ? વાસ્થ
વુિં ન થg aો આવા કેવા કર્મ સત્તા બલવાન બને છે, અને કેઈવાર આત્મસત્તા બલવાન બને છે, એ શાસ્ત્રીય વાક્યોને આવા આરોહ-અવરોહ ભર્યા જીવનપ્રસંગથી સ્પષ્ટ ખ્યાલ આવે છે. સાતમા ગુણસ્થાનથી ઉપરના સર્વ ગુણસ્થાનમાં ક્ષપકશ્રેણિની અપેક્ષાએ આત્મા માટે કેવળ આરેહની જ અવસ્થા હોય છે. અભવ્ય અને દુભવ્ય તેમ જ જાતિભવ્ય માટે સદાય અવરહની અવસ્થા હોય છે, અને આસન્નભવ્યને પ્રથમ ગુણસ્થાનથી છઠ્ઠા ગુણસ્થાન સુધી, અપેક્ષાએ સાતમા ગુણસ્થાન સુધી આરોહ-અવરોહ એમ ઉભય પ્રકારની પ્રાયઃ અવસ્થા હોય છે.