________________
૪૯
મહાનુભાવ મરિચિ યાને.... સંભવ અવશ્ય રહેલું છે, બિલકુલ નિરતિચારપણું તે ક્ષાયિક ભાવે સમ્યગદર્શનાદિ ગુણે પ્રગટ થાય ત્યારે પ્રાપ્ત થાય છે. ફકત વિશેષતા એટલી છે કે વાતાદિ ગ્રહણ કર્યો બાદ મુમુક્ષુ આત્મા ગ્રહણ કરેલાં તેમાં અતિચારાદિ ન લાગે તે માટે સદાય સાવધાન રહે, પ્રતિકુળ વાતાવરણથી દૂર રહે અને અખંડ ગુરુકુળવાસને સ્વીકાર કરે એમ છતાં પ્રમાદને કારણે અતિચારાદિ લાગે તે તેની આલોચના કરવાનું ન ચૂકે.
આત્મનિરીક્ષણ પ્રભુના પવિત્ર શાસનમાં સવાર સાંજ તેમ જ પાક્ષિકચાતુર્માસિક અને વાર્ષિક (સંવત્સરી) પ્રતિકમણની જે વ્યવસ્થા છે તે પિતાના વિશુદ્ધ જીવનમાં લાગેલા અતિચારોની આલેચના કિવા પાપાચરણના પશ્ચાત્તાપ માટે જ છે. આલેચના કિંવા પ્રતિકમણુએ અનુપમ આત્મનિરીક્ષણ છે. એ આલોચના જે જાગૃતિપૂર્વક થાય તે જીવનશોધનનું એ અજબ સાધન છે. વિશુદ્ધ જીવન વ્યવહારમાં ખલન ન થવા દેવી એ સર્વોત્તમ છતાં ઘણી મુશ્કેલ બાબત છે. આત્માની નબળાઈ અને પ્રતિકલ વાતાવરણના કારણે સ્કૂલના કદાચ થઈ જાય તે તેટલા માત્રથી નાસીપાસ થવાની જરૂર નથી. સ્કૂલના થયા બાદ ખલનાનું ખલનારૂપે ભાન થવું, અને એ પ્રમાણે ભાન થયા બાદ થયેલી સ્કૂલનાઓ માટે આલેચના પ્રતિક્રમણાદિ પ્રાયશ્ચિત્તને ઉપયોગ કરી લે તેમ જ જીવન વિશુદ્ધ