________________
મહાનુભાવ મરિચિ યાને..... wonninnnnnnnnnn
“આ વિશ્વભૂતિ કુમાર જાય-કુમાર જાય.” એમ બેલવા લાગ્યા. એવામાં વિશાખાનન્દી પણ આવી પહોંચે અને વિશ્વભૂતિ મુનિને ભૂતકાળને પ્રસંગ યાદ આવતાં તેમના ઉપર તેને રોષ ઉત્પન્ન થયે. દરમિયાન રસ્તામાં અત્યંત વેગથી ચાલી જતી ગાયની હડફેટમાં આવતાં, તપ વડે શરીર કૃશ થયેલ હોવાના કારણે વિધભૂતિ મુનિ ભૂમિ ઉપર પડી ગયા. વિશ્વભૂતિને જોતાં વિશાખાનંદીના દિલમાં રોષ તે પ્રગટ થયેલું જ હતું. એમાં ગાયની હડફેટથી મુનિરાજ ભૂમિ ઉપર પડી જતાં વિશાખાનંદીના દિલમાં વધુ આનંદ થયે અને તેણે મજાકમાં કહ્યું કે-મુનિરાજ ! ગૃહસ્થાશ્રમમાં મુષ્ટિના પ્રહાર વડે કેઠાંનાં ફળે વૃક્ષ ઉપરથી નીચે પાડી નાખવાનું તમારું બળ ક્યાં ગયું ? ગાયની હડફેટમાં આવી જવાને સામાન્ય પ્રસંગ માત્રથી ભૂમિ ઉપર પટકાઈ પડવા જેવી નિર્માલ્ય દશા કેમ થઈ ગઈ?” મજાકમાં કહેવાયેલા વિશાખાનંદીના વચન સાંભળી મુનિવર વિશ્વભૂતિ ક્ષમા ધર્મને ચૂકી, કંધના આવેશમાં આવી ગયા. ક્રોધના આવેશની પાછળ માનદશા પણ પ્રગટ થઈ અને માનદશાજન્ય અહંભાવને કારણે હજુ પણ મારામાં પહેલાંના જેવું જ બળ છે. તપસ્યા વડે ભલે મારી કાયા કૃશ થઈ ગઈ, પરંતુ હું નિર્બળ નથી બન્ય”—એમ વિચારી વિશાખાનદીને એ પરિસ્થિતિથી માહિતગાર કરવા જે ગાયની હડફેટમાં આવતાં પિતે ભૂમિ ઉપર પટકાઈ ગયા હતા તે ગાયનાં શિંગડાં બે હાથ વડે મજબૂત રીતે પકડી ગાયને ઊંચકી અને ઉછળી. એટલેથી જ ન અટક્યા, પરંતુ સાથે