________________
૫૦
શ્રમણ ભગવાન મહાવીર
બનાવવું એ પણ મુમુક્ષુ આત્મા માટે આત્મકલ્યાણને જ માર્ગ મહાપુરુષેએ જણાવ્યું છે. જીવનમાં હંમેશાં ઉપર મુજબ આત્મનિરીક્ષણ ન થઈ શકે તો પખવાડિયે, ચાર મહિને, બાર મહિને છેવટે આયુષ્ય પૂર્ણ થવા પહેલાં તે આત્મનિરીક્ષણ સ્વરૂપ આલેચના થઈ જવી જોઈએ. ગ્રહણ કરેલાં વ્રતમાં અતિચાદિ લાગવા છતાં અંતઃકરણની વિશુદ્ધથી છેવટે અંતિમ સમયે પણ જે ભાગ્યવાન આત્મા આલેચન કરી લે છે તે આત્મા આરાધક ગણાય છે. અને ગ્રહણ કરેલા વ્રતોમાં લાગેલા અતિચારદિની અથવા વ્રત ગ્રહણ કરવા સિવાય જીવનમાં સેવાએલા અનાચારેની આલોચના-પ્રશ્ચાત્તાપ-મિથ્યાદુકૃત વગેરે પ્રાયશ્ચિત્તની પ્રવૃત્તિ જે કેઈ કરતા નથી તે આત્મા વિરાધક ગણાય છે. મરિચિને અંતિમ સમયે આલોચનાને અભાવ
મરિચિ માટે પણ આવા વિરાધક ભાવનો જ પ્રસંગ પ્રાપ્ત થયું છે. પરિવ્રાજક વેષને સ્વીકાર, કુલદ કરવાને પ્રસંગ અને ઉસૂત્રપ્રરૂપણુ વગેરે વિપરીત માર્ગની આચારણું થઈ ગયા બાદ પણ આયુષ્ય પૂર્ણ થયા પહેલાં જે એ વિપરીત પ્રવૃત્તિ માટે અંતઃકરણમાં સાચી રીતે પશ્ચાત્તાપ થવાપૂર્વક આલેચનાને પ્રસંગ પ્રાપ્ત થયે હેત તે તે મરિચિનું જીવન પણ આરાધક ભાવનું અધિકારી બની જાત! પરંતુ મરિચિને મેહનું પ્રાબલ્ય હતું. એના કારણે ચારિત્રગ્રહણ કર્યા બાદ સંયમ અને શ્રદ્ધા બનેથી ભ્રષ્ટ થવાય તેવી ત્રિકરણગે પ્રવૃત્તિ થઈ. શુદ્ધ માર્ગમાંથી ખસી