________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् जीव इति कर्मगुणनिरासद्वारेण प्रतिपादयति।
नन्वौदयिकौपशमिक-क्षायिक-क्षायोपशमिक-पारिणामिक-सान्निपातिका भावा इति क्रम-सङ्ख्यानियमः प्रावचनोऽयं, स एषः किमर्थं परमर्षिप्रणीतप्रवचनन्यस्तक्रमसङ्ख्याभेदः सूत्रकारेणाकारि ? अत्रोच्यते → क्रमभेदस्तावल्लाघवार्थमाश्रितः, कथम् ? औपशमिकभेदद्वयमधीत्य क्षायिकभेदपाठे चशब्दानुकृष्टौ चपूर्वको द्वावित्येवं नवभेदमवदत् क्षायिकम्।
ननु प्रवचनक्रमेऽप्यौपशमिक-क्षायिकावनन्तराविति न कश्चिद् विशेषः अस्ति ? विशेषश्चशब्देन किमनन्तरभेदद्वयाकर्षणमुतौदयिकैकविंशतिराकृष्यत इति सन्देहः।
– હેમગિરા , પ્રશ્નો છે. આ પ્રમાણે બે પ્રશ્ન પૂછાયે છતે આચાર્યશ્રી (= વાચકશ્રી) ‘મત્રોચતે' એમ ભાષ્યને કહે છે અર્થાત્ અહીં બંનેય પ્રશ્નને આશ્રયી (આચાર્યશ્રી દ્વારા) ઉત્તર કહેવાય છે. તેમાં પ્રથમ પ્રશ્નને આશ્રયીને સૂરિજી ઉત્તરમાં ૨/૧ સૂત્રને કહે છે.
‘પમિw'... ઇત્યાદિ ૨/૧ સૂત્ર છે, તેનો સમુદાયાર્થ આ છ - જીવ એ કર્મ કે ગુણ નથી. એમ નિષેધ કરવા દ્વારા જીવ એ “ઔપશમિકાદિ ભાવયુકત દ્રવ્ય છે' એમ (આ ૨/ ૧ સૂત્ર) પ્રતિપાદન કરે છે. (હવે સૂત્રના અવયવાર્થને જણાવતાં કહે છે.)
સંખ્યાભેદ + કમભેદ છે શંકા ? ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક, પારિણામિક અને સાંનિપાતિક ભાવો છે, એ મુજબ આગમમાં (ભાવોનો) કમ અને સંખ્યા (૬)નો આ નિયમ છે, તો મહર્ષિઓથી કથિત/રચિત આગમમાં મૂકેલા કમ અને સંખ્યાનો આ ભેદ (= ફેરફાર) અહીં પ્રથમ સત્રમાં સૂત્રકારે શા માટે કર્યો છે ?
સમાધાન : પ્રથમ જે કમભેદ કરાયો છે તે લાઘવ કરવા માટે કરાયો છે. શંકા ? તે કઈ રીતે ?
સમાધાન ? ઔપથમિક ભાવ અંગેના બે ભેદ આ અધ્યાયના ત્રીજા સૂત્રમાં કહીને ત્યાર બાદ ચોથા સૂત્રમાં ક્ષાયિક ભાવના નવ ભેદના પાઠમાં (સાક્ષાત્ કહેવાયેલ ૭ ભેદ પછી રહેલા) “ઘ' શબ્દથી ખેંચાયેલા અર્થાત્ ‘’ શબ્દથી પ્રાપ્ત થયેલા પૂર્વના બે ભેદો લીધા છે. એમ કુલ (૭+૨ =) ૯ ભેજવાળો ક્ષાયિક ભાવ કહ્યો છે. (આમ કરતાં સૂત્ર રચનામાં લાઘવતા થઈ.)
શંકા : આગમ કથિત કમમાં પણ ઔપશમિક પછી તરત જ ક્ષાયિક ભાવ આવે છે માટે કમભેદ કરવાનું કોઈ વિશેષ પ્રયોજન નથી તો શા માટે આવું કર્યું? ૧. જુનિયામા મા.