________________
५६
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/८
गन्धहस्ति लब्धिस्वरूपत्वात्, न च ज्ञानात्मकत्वात् संशयेनास्य कदाचिदुत्पत्तव्यम्, अशेषविषयग्रहणं च स्यात् निरङ्कुशत्वाज्ज्ञानस्येति ?
अत्रोच्यते → ज्ञानात्मत्वे सत्यपि नानवरतोपयोगप्रसङ्गः, कथम् ? कर्मवशादयमात्मा सर्वप्रदेशेषु प्रदेशाष्टकमपहाय मध्यवर्ति पिठरान्तर्वर्तिज्वलनज्वालाकलापतप्तोद्वर्तमानवारिवच्चलः सततमेव कृकलाशवदर्थान्तरेषु परिणमते, अनवस्थितोद्भ्रान्तमनस्त्वाच्च कथमुपयुज्येत स चिरमेकस्मिन्नर्थे ? स्वभावादेव चोपयोगस्थितिकालोऽन्तर्मुहूर्तपरिमाणः प्रकर्षाद् भवति, ज्ञानावरणकर्मपटलावच्छन्नत्वाच्च न सर्वदाऽवैति, यथा प्रकाशमयत्वेऽपि भास्वान् बहलाभ्रपटलाभिभूतमूर्तिर्न प्रकाशते स्पष्टं तथाऽयमात्मेति, स्मृतिरप्यत एव नावश्यम्भाविनी भवति तस्येति प्रत्येतव्यम् । अव्यक्तबोध-संशर्यासर्वार्थ
– હેમગિરા – માનવું પડે) અથવા તો વિજ્ઞાનાત્મક એવો આત્મા અવ્યક્ત બોધવાળો શા કારણે થાય ? કારણ કે જ્ઞાન એ ઉપલબ્ધિ (= સ્પષ્ટ બોધ) સ્વરૂપ હોવાથી જ્ઞાનને અવ્યક્ત ઇચ્છાયું નથી. વળી આત્મા જ્ઞાનાત્મક હોવાથી આ આત્માને જ્યારે પણ સંશય ઉત્પન્ન થવો જોઈએ નહિ. વળી જ્ઞાનને કોઈ અંકુશ = પ્રતિબંધ ન હોવાથી આત્માને સઘળાં વિષયોનું જ્ઞાન થવું જોઈએ ? (પૂરી શંકાનો ભાવાર્થ એ થયો કે વિજ્ઞાનાત્મક આત્મામાં અનુપયોગિતા, વિસ્મરણ, અવ્યકતબોધ, સંશય કે અધૂરાશને કોઈ સ્થાન નથી.)
સાપેક્ષભાવે બંને આત્મામાં હોય ઉત્તરપક્ષ છે આ શંકાને વિષે સમાધાન કહેવાય છે કે આત્મા જ્ઞાનાત્મક હોવા છતાં તેમાં એક કે સમગ્ર પદાર્થ વિશે તમે કહ્યા મુજબ) નિરંતર ઉપયોગ માનવાનો પ્રસંગ નથી આવતો.
પ્રશ્ન: તે કઈ રીતે ?
ઉત્તરઃ અગ્નિની જવાળાઓના સમૂહથી, હાંડીની અંદર રહેલા, અત્યંત ગરમ થઈ ગયેલા ઉકળતાં પાણીની જેમ, મધ્યવર્તી ૮ રૂચક પ્રદેશોને છોડી, શેષ સર્વ આત્મપ્રદેશોમાં, કર્મ (રૂપી વાળા)ના વશ થકી ચંચળ એવો આ આત્મા નિરંતર જ કૃકલાશ (= કાચીંડા)ની જેમ જુદા જુદા રંગો = અર્થોને વિષે પરિણમે છે અને આ પ્રમાણે તે (આત્મા) અનવસ્થિત અને ભ્રમિત મનવાળો હોવાથી કઈ રીતે એક પદાર્થ વિશે ચિરકાળ સુધી ઉપયોગ રાખી શકે? વળી સ્વભાવથી જ ઉપયોગનો ઉત્કૃષ્ટ સ્થિતિકાળ અંતર્મુહૂર્તના પરિણામવાળો હોય છે તેમજ જ્ઞાનાવરણ કર્મના પડલથી ઢંકાયેલો હોવાથી આત્મા નિરંતર જાણી શકતો નથી જે રીતે પ્રકાશમય હોવા છતાં પણ ઘન વાદળાના પડળથી ઢંકાઈ ગયેલ બિંબવાળો સૂર્ય સ્પષ્ટ રીતે પ્રકાશ પાથરી શકતો નથી. તે રીતે આ આત્મા કર્મપડલથી ઢંકાયેલ હોવાથી નિરંતર જાણી શકતો નથી એમ સમજવું. આથી ૨. મારો - 1. ૨. સંશયસથજી -. સંશવેસર્વાર્થm૦ - દ્રિતશદ્ધિપત્ર (ાં. ) I