________________
१७७
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
સૂત્રમ્ - સમયો વિદઃાર/રૂપા भाष्यम् :- एकसमयो विग्रहो भवति। अविग्रहा गतिरालोकान्तादपि एकेन समयेन भवति।
- સ્થિતિ છે लोकान्ताल्लोकान्तमिति वा, कालतः पुनर्नियतपरिमाण एव विग्रहो भवति। (इत्यत आह → एकसमयो विग्रहः इति सूत्रम्।)
एकसमयो विग्रहो भवतीत्यादि भाष्यम्। एकोऽन्यनिरपेक्षः अविभागी यः कालः परमनिरुद्धश्च समयः स एकः समयो यस्य व्यवधायकः स एकसमयो भवतीह विग्रहः । एतदुक्तं भवति → भवान्तरालवर्तितायां जन्तोर्गतिपरिणतस्यैकेन समयेनातिक्रान्तेन वक्रा गतिर्जायत इति, न चायं नियमः सर्वस्यावश्यं समयातिक्रमे वक्रेण भवितव्यम्, किन्तु पूर्वापरसमयावधिक एष विग्रहः, तेन द्वि-त्रि-चतुःसमयासु
સૂત્રાર્થ વિગ્રહ એક સમયવાળો હોય છે.૨/૩૦ના ભાષ્યાર્થક વિગ્રહ એક સમયવાળો હોય છે. લોકાંત સુધી પણ અવિગ્રહ ગતિ એક સમય વડે થાય છે. .
• હેમગિરા - ઉપપાત ક્ષેત્ર એક આદિ પ્રદેશ વગેરેવાળું જાણવું. અર્થાત્ ક્યારેક પૂર્વભવના શરીરના ક્ષેત્રથી ૧ આદિ પ્રદેશની પછી (અંતરિત = દૂર) આ ઉપપાત ક્ષેત્ર હોય છે અથવા ક્યારેક ઉપપાત ક્ષેત્ર ૧ લોકાંતથી માંડીને ઠેઠ સામેના બીજા લોકાંત સુધી દૂર હોઈ શકે છે. કાળથી તો પણ નિયત પરિણામવાળો જ વિગ્રહ હોય છે.
વિગ્રહનો એ નિયત કાળ શું છે તે વાતને બતાવતાં ‘ા સમય વિપ્રદ:' ૨/૩૦ સૂત્રને કહે છે. તેનું સમય .....' ઇત્યાદિ ભાષ્ય છે (તેનો અર્થ આ પ્રમાણે છે,) એક = અન્ય (સમય)થી નિરપેક્ષ અર્થાત્ કોઈની અપેક્ષા રહિત જે હોય તેને એક કહેવાય છે તથા જેનો વિભાગ ન થઈ શકે એવો પરમ નિરુદ્ધ નાનામાં નાનો કાળ તે સમય કહેવાય. તે એક સમય જેનો વ્યવધાયક છે તે એક સમયના વ્યવધાનવાળો વિગ્રહ અહીં હોય છે.
ભાવાર્થ એ છે કે – ભવના અંતરાલમાં રહેલી ગતિમાં એક સમય વીત્યા બાદ, ગતિમાં પરિણત થયેલ જીવને વક્રગતિ થાય છે. વળી એવો નિયમ નથી કે એક સમય પૂર્ણ થએ તે બધાની અવશ્ય વક્રગતિ થવી જોઈએ પરંતુ પૂર્વાપર સમયની મર્યાદાવાળો આ વિગ્રહ હોય છે એવો નિયમ છે. અર્થાત્ પૂર્વ (= પાછળ) અને અપર (= આગળ) એમ બે સમયની મર્યાદાવાળો વિગ્રહ હોય છે, એવો નિયમ છે. તેથી આ વિગ્રહ ૨, ૩, ૪ સમયવાળી ગતિઓમાં હોય છે, કિંતુ ૧ સમયવાળી ઋજુગતિમાં નથી હોતો. વળી જ્યાં વિગ્રહ છે ત્યાં એકસમયત્વ વિશેષણ ૨. સમયTધી - .