________________
सानुवादस्वोपज्ञभाष्य - टीकालङ्कृतम्
२९३
भाष्यम् :- अनपवर्तनीयानि पुनर्द्विविधानि → सोपक्रमाणि निरुपक्रमाणि च । अपवर्तनीयानि तु नियतं सोपक्रमाणीति । तत्र →
• ગન્ધહસ્ત -
कलाप उपक्रमः,
अधुनाऽनपवर्तनीयायूंषि द्विविधान्यभिधित्सुराह→ अनपवर्तनीयानि पुनर्द्विविधानि → सोपक्रमाणि निरुपक्रमाणि च (इति भाष्यम्) । तत्रोपक्रमणमुपक्रमः प्रत्यासन्नीकरणकारणमुपक्रमशब्दाभिधेयम्, अतिदीर्घकालस्थित्यप्यायुर्येन कारणविशेषेणाध्यवसानादिनाऽल्पकालस्थितिकमापाद्यते स कारणतेन तादृशोपक्रमेण सोपक्रमाण्यनपवर्तनीयान्यायूंषि भवन्ति । निर्गतोपक्रमाणि निरुपक्रमाण्यध्यवसानादिकारणकलापाभावात् । 'यथैव तज्जिहास्यते अतिदीर्घकालस्थितिस्वपरिणतिविशेषात् तथा अल्पमपि वृद्धिमापादयिष्यते रसायनाद्युपयोगतश्चेत्, तन्न, अबद्धत्वात्, जन्मान्तरे हि बद्धमायुस्तावता वा कालेनानुभूयेत ह्रस्वीयसा वाऽध्यवसानादियोगादाभिचारिककर्मणाऽवाप्यकालफलपाकवत् स्याद्, अबद्धं पुनर्न शक्यते संवर्धयितुममृतोपयोगेनापि ।
ભાષ્યાર્થ : અનપવર્તનીય આયુષ્ય બે પ્રકારે છે → (૧) સોપકમ અને (૨) નિરુપક્રમ. અપવર્તનીય આયુષ્ય હંમેશા સોપક્રમ જ હોય છે. ત્યાં (= બે પ્રકારના આયુષ્યમાં) (અનપવર્ત્ય આયુષ્યવાળા જીવો ૨/૫૨ સૂત્રમાં કહેવાય છે.)
હેમગિરા -
પણ આયુષ્ય જે અધ્યવસાનાદિક (ખાડામાં પડવું, અથડાવું વગેરે) કારણ વિશેષથી અલ્પકાળની સ્થિતિવાળું કરાય તે કારણનો સમૂહ ઉપક્રમ કહેવાય છે. તે તેવા પ્રકારના ઉપક્રમને લીધે અનપવર્તનીય આયુષ્ય સોપક્રમિક હોય છે. અધ્યવસાનાદિ કારણોના સમૂહનો અભાવ હોવાથી નીકળી ગયેલા ઉપક્રમવાળું તે નિરુપક્રમિક અનપવર્તનીય આયુષ્ય હોય છે.
-0
* આયુષ્યની અપવર્તનાની જેમ વૃદ્ધિ ન હોય
શંકા : જેમ પોતાની વિશિષ્ટ પરિણતિથી અતિ દીર્ઘકાલીન આયુષ્યની સ્થિતિને જીવ ઘટાડશે. તેમજ રસાયણ વગેરેના વપરાશથી અલ્પ પણ આયુષ્યની વૃદ્ધિને સંપાદન કરાવાશે ? (અર્થાત્ વધારાશે ?)
સમાધાન : ના, તે ક્યારેય નહિ બને કારણકે પૂર્વમાં સ્થિતિ બંધાયેલી નથી. કહેવાનો ભાવાર્થ એ છે કે ખરેખર પૂર્વજન્મમાં બંધાયેલ આયુષ્ય તેટલા કાળથી ભોગવાય છે અથવા તો જેમ કાળે કરીને પાકવા યોગ્ય ફળને આભિચારિક કર્મ (= ઘાસ આદિમાં મૂકવા) વડે જલ્દીથી પકવવામાં આવે છે તેમ અધ્યવસાન વગેરે ઉપક્રમોના લાગવાથી તે (બદ્ધ) આયુષ્ય અલ્પકાળથી ભોગવાય છે પરંતુ અબદ્ધ આયુને તો (ગમે તેવા ઔષધ કે) અમૃતનાં ઉપયોગથી પણ વધારવું - ૬ા ૨. હ્રસીય॰ - છું. માં.।
१. तथैव