________________
३०५
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
भाष्यम् :- अपवर्तनं शीघ्रमन्तर्मुहूर्तात् कर्मफलोपभोगः, उपक्रमोऽपवर्तननिमित्तम् । अत्राह → यद्यपवर्तते कर्म तस्मात् कृतनाशः प्रसज्यते यस्मान्न वेद्यते।
- સ્થિતિ – फले कर्मफलोपभोगेऽपवर्तनशब्दः प्रयुक्तो भाष्यकारेण। उपक्रमोऽपवर्तननिमित्तमिति पर्यायाख्यानमात्रमेतत्, अल्पतापत्तिकारणानामुपक्रमः, अपवर्तनमपि दीर्घकालस्थितितः कर्मणो ह्रस्वस्थितिकरणं, निमित्तं विष-शस्त्राद्यल्पताहेतुः, एवमिदमपवर्तनमिहायुरङ्गीकृत्याभिहितमन्यासामपि तु प्रकृतीनामनिकाचितावस्थानां प्रायोऽवसेयम् । तपोऽनुष्ठानात् पुनर्निकाचिता अप्यपवर्त्यन्त इति पारमर्षी श्रुतिः॥
अथेदानी कर्मविनाशलक्षणमपवर्तनशब्दार्थमङ्गीकृत्य नोदयति → अत्राहेत्यादिना भाष्येण । अत्रावसरे पर आह → यद्यपवर्तते = अपैति = विनश्यति फलमदत्त्वाऽऽयुष्ककर्म तस्मात्
ભાષ્યાર્થઃ અપવર્તના એટલે જલદીથી અંતમુહૂર્તની સ્થિતિ સુધીના કર્મના ફળનો ઉપભોગ. ઉપક્રમ એટલે અપવર્તનાનું નિમિત્ત.
- હેમગિરા બે કહેવા દ્વારા એ સૂચિત કરે છે કે ત્યાં સુધી તે આયુષ્ય કર્મ અપવર્તન પામે છે કે જ્યાં સુધી અંતર્મુહૂર્તની સ્થિતિવાળું તે આયુષ્ય કર્મ બાકી રહે, ત્યાર પછી તે અપવર્તના અટકી જાય છે કેમકે (ત્યાર પછી) તેવા પ્રકારના (અપવર્તનાને યોગ્ય) અધ્યવસાનાદિ (અપવર્તનાના નિમિત્તો)નો અભાવ હોય છે અને અહીં ('માવર્તન શીખ .....' ઇત્યાદિ પદોમાં કારણનો કાર્યમાં ઉપચાર કરી) અપવર્તનના ફળ રૂપ જે કર્મના ફળનો ઉપભોગ છે તે અર્થમાં અપવર્તન’ શબ્દ ભાષ્યકારશ્રીએ પ્રયુક્ત કર્યો છે. ‘ઉપક્રમ એટલે અપવર્તનાનું નિમિત્ત’.
આ વાક્ય ઉપક્રમના પર્યાય-કથન સ્વરૂપ જ છે, તે આ રીતે અલ્પતાની પ્રાપ્તિના કારણોને ઉપક્રમ કહેવાય છે, વળી અપવર્તના એટલે કર્મની દીર્ઘકાળની સ્થિતિમાંથી સ્વસ્થિતિ કરવી તે, અને નિમિત્ત એટલે અલ્પતાના (= અપવર્તનાના) હેતુ એવા વિષ, શસ્ત્ર વગેરે. આ પ્રમાણે અહીં પ્રસ્તુતમાં આ અપવર્તન આયુષ્ય કર્મને આશ્રયીને કહેવાયું છે પરંતુ આ જ રીતે અનિકાચિત અવસ્થાવાળી અન્ય પણ કર્મ પ્રકૃતિઓનું અપવર્તન પ્રાયઃ સમજી લેવું. તપનાં આચરણ થકી તો નિકાચિત પણ કર્મ પ્રકૃતિઓની અપવર્તના કરાય છે, એવી પરમ ઋષિઓની શ્રુતિ ( વાણી) છે. હવે કર્મના વિનાશ સ્વરૂપ અપવર્તન શબ્દના અર્થના સંદર્ભમાં ‘શત્રદિ...' ઇત્યાદિ ભાષ્ય વડે કોઈક પ્રશ્ન કરે છે. તેનો અર્થ આ પ્રમાણે છે – અહીં = અવસરમાં બીજો વ્યક્તિ પ્રશ્ન કરે છે કે :
(૧) કૃતનાશ - જો આયુષ્યકર્મ ફળ આપ્યા વિના અપવર્તન પામે છે અર્થાત્ વિનાશ પામે છે, તો કરાયેલ (= બંધાયેલી સત્તામાં વિદ્યમાન તે કર્મની નિષ્ફળતા થઈ જવાથી કૃત નાશ દોષનો પ્રસંગ પ્રાપ્ત થાય છે કારણ કે તે કરેલું કર્મ ભોગવાયું નહિ અર્થાત્ અનુભવાયું નહીં અને નાશ થઈ ગયું આ તો અનિષ્ટ છે કેમકે ઉપાર્જન કરેલ કર્મ સ્વામીને વિશે અનુરૂપ ફળને અવશ્ય