________________
२९४
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/५१ यथा हि दीर्घपटः प्रागुक्तो (आमुक्तो ?) वेष्टनयाऽल्पः शक्यः कर्तुं न पुनःघिमानमापादयितुमनुपात्ततावद्दलिकत्वात् । स्यादेतद् रसायनाद्युपयोगाद् यावस्थितिकमात्तं प्रागायुस्तावती स्थितिमखण्डयत् तदासीत न पुनर्वृद्धिमश्रद्धेयामाधातुमलं तदिति। अत्र च किलौपपातिका असङ्ख्येयवर्षायुषश्च निरुपक्रमा एव, चरमदेहाः उत्तमपुरुषाश्च सोपक्रमा “निरुपक्रमाश्च ॥
नन्विदं विप्रतिषेध्यमनपवायुषः सोपक्रमाश्चेति ?
उच्यते → अध्यवसानाद्युपक्रमकारणानि किल सन्त्यमीषां चरमदेहोत्तमपुरुषाणां, न पुनरायुरपवर्त्यते सत्स्वपि तेष्वनपवायुष्ट्वात्, न खलूपक्रमसन्निधानं तत्र प्रतिषिध्यते, किन्तु सत्यप्युपक्रमकारणसान्निध्येऽतिगाढबन्धत्वान्न तदायुरपवर्त्यते ।
– હેમગિરા શક્ય નથી. જે રીતે પૂર્વે ખુલ્લું કરીને મૂકેલું એવું દીર્ઘ વસ્ત્ર જો વીંટાળવા (= સમેટવા)માં આવે તો મૂળ કદથી નાના કદનું થવું શક્ય છે, પરંતુ મોટું કરવું શકય નથી કારણકે બની ગયેલા તે વસ્ત્રમાં તેટલી જગ્યામાં તાંતણા ઉમેરી શકાય તેમ નથી. હા ! એ કહી શકાય કે પૂર્વ જન્મમાં જેટલી સ્થિતિવાળું તે આયુષ્ય બંધાયેલું હતું. તેટલી સ્થિતિમાં અખંડ રહેતું તે આયુષ્ય એટલે કે જેટલું પૂર્વે બદ્ધ હતું તેટલું તે આયુ રહી શકે છે. પણ આયુષ્યમાં રસાયણાદિથી પણ વૃદ્ધિ કરવાની વાત તો અતિ અશ્રદ્ધેય છે મતલબ કે આયુષ્યને વધારવા કોઈ સમર્થ નથી. અહીં (= સોપકમ અને નિરુપક્રમ આયુષ્યમાં) વિશેષ એ સમજી લેવું કે ઔપપાતિક જન્મવાળા (દેવો અને નારકો) તેમજ અસંખ્ય વર્ષાયુષ્યવાળા (મનુષ્યો અને તિર્યંચો) નિરુપમ જ અનાવર્તનીય આયુષ્યવાળા હોય છે તથા ચરમ શરીરવાળા અને ઉત્તમ પુરુષો (તીર્થકર, ચકવર્તી વગેરે) સોપકમ અને નિરુપમ એમ બંને પ્રકારના અનાવર્તનીય આયુષ્યવાળા હોય છે.
B અનપવર્તનીય સોપકમ આયુષ્યની વિચારણા : શંકાઃ એક જ જીવોને એક બાજુ અનાવર્તનીય આયુષ્યવાળા કહેવા અને બીજી બાજુ સોપમ આયુષ્યવાળા કહેવા એ તો વિપ્રતિષેધ્ય ( એકબીજાનો નિષેધ કરનારી એ બે સ્થિતિ) હોવાથી પરસ્પર વિરુદ્ધ છે ?
સમાધાન : અધ્યવસાન વગેરે ઉપકમના કારણો આ ચરમદે હી અને ઉત્તમ પુરુષોને (પણ) હોય છે, પરંતુ જ્યારે તે કારણ હોય ત્યારે પણ છતાં તેઓનું આયુષ્ય અપવર્તિત થતું નથી કેમકે તેઓ અનપવર્ઘ આયુષ્યવાળા હોય છે. કહેવાનો ભાવાર્થ એ છે કે – ત્યાં ઉપક્રમોની ઉપસ્થિતિનો નિષેધ કરાતો નથી પરંતુ જ્યારે ઉપક્રમના કારણોનું સન્નિધાન હોય ત્યારે પણ તે આયુષ્ય કર્મ, અતિ ગાઢપણે બંધાયેલું હોવાથી અપવર્તન પામતું નથી. ..વિનિતીર્થ પાઇ છું. માં. હસ્તાવ નતા . વિપ્રતિષિદ્ધ° - માં..