________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• गन्धहस्ति
→ आचार्यमतमेवेदम्, अन्ये तु नित्यसम्बन्धमेव तत्कार्यमपि च भ्राजिष्णुप्रभेत्यादि, तदेतदयुक्तमव्याप्तेरिति ।।
अथ यानि शरीराणि लब्धिरहितानामपि मयूखजालमुद्वमन्ति दृश्यन्ते, तेषु कथम् ? तत्र हि कार्मणौदारिकशक्तिरेव सा तादृगिति न तैजसस्य, यथा वैक्रियेष्विति प्रत्याख्यानवादिन एवं वर्णयन्ति, तस्माद् यदधुनैव लब्ध्या समुद्भाव्यते तत् कथमनादिसम्बन्धं सर्वस्य वा जन्तोः स्यादाहारक- वदप्राप्तलब्धेर्न तेन दाहादि किञ्चित् कार्यमनुष्ठातुं शक्यमनुपजातकुम्भेनेव जलाद्याहरणादि प्रतिनिवृत्ततथाહેમગિરા
-
२३१
નિમિત્તવાળા) જ તૈજસ શરીરને માને છે તેઓના મતે અન્યત્ર (= તૈજસ લબ્ધિ રહિત ઔદારિક આદિ શરીરોમાં) તૈજસ લબ્ધિનો અભાવ હોવાથી ભ્રાજિષ્ણુ પ્રભા તેઓમાં નહીં ઘટી શકે અને આથી બ્રાનાિભુ પ્રમા..... ઇત્યાદિ ગ્રંથ પણ સંગત નહીં થાય. પણ આ વાચક આચાર્યશ્રીનો અભિપ્રાય નથી કારણકે (પ્રસ્તુત ભાષ્યમાં ‘ત્ત્વાચાર્યનયવાવા.....' ઇત્યાદિ પંક્તિઓ દ્વારા) અન્ય કેટલાક આચાર્યોનો અભિપ્રાય = પ્રસ્તાવ ચાલી રહ્યો છે.
આ પ્રસંગે બીજા કેટલાક વ્યાખ્યાકારો એમ કહે છે કે આ ઉપરોકત અભિપ્રાય વાચક આચાર્યશ્રીનો જ છે વળી બીજા કેટલાક વ્યાખ્યાકારો તૈજસ શરીર અને તેના ભ્રાજિષ્ણુ પ્રભા ઇત્યાદિ રૂપ કાર્યને પણ નિત્ય સંબંધવાળું જ માને છે. અન્ય વ્યાખ્યાકારોની તે આ વાત વ્યાજબી નથી કારણકે અવ્યાપ્તિ આવે છે.
* ઔદારિક શરીરમાં તેજસ્વીતા
(નયવાદને અપેક્ષીને ખોલતા આચાર્યને આશ્રયીને પ્રશ્ન) પ્રશ્ન ઃ કેટલાક તૈજસ લબ્ધિ વિનાના પણ જે શરીરો તેજસ્વી કિરણોના સમૂહને કાઢતા દેખાય છે. તે શરીરોમાં આવું તેજ અન્ય આચાર્યના મતે શી રીતે સંભવે ?
ઉત્તર : જેમ વૈક્રિય શરીરવાળા દેવ વગેરેના શરીરોમાં તેજસ્વીતા હોય છે, તેમાં વૈક્રિય અને કાર્યણ શરીરની શક્તિ જ કારણભૂત છે, લબ્ધિ તૈજસ શરીરની નહિ, તેમ ત્યાં (= લબ્ધિરહિત ઔકારિક શરીરોની તેજસ્વીતામાં) ખરેખર ઔદારિક અને કાર્યણ શરીરની તેવા પ્રકારની શક્તિ જ કારણ રૂપ છે પરંતુ તૈજસ શરીરની નહિ એમ પ્રત્યાખ્યાન વાદિઓ (= નયવાદને અપેક્ષીને બોલનારા) કહે છે.
હવે તે જ નયવાદને અપેક્ષીને બોલનાર, વાચકપ્રવરશ્રી સામે આક્ષેપ કરે છે કે તેથી (= તમારા મતે તૈજસ શરીર લબ્ધિ પ્રત્યય જ હોવાથી) હમણાં (= આ ભવમાં) જ લબ્ધિથી ઉત્પન્ન કરાય છે તેવું તે (લબ્ધિ) તૈજસ શરીર કઈ રીતે (કાર્મણ શરીર અને જીવ સાથે) અનાદિ ?. નમુ«g॰ - C