________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् भाष्यम् :- मिथ्यादर्शनमेकभेदं, मिथ्यादृष्टिरिति। अज्ञानमेकभेदं, अज्ञानीति।
- સ્થિતિ માં स्वलिङ्गनिर्वृत्तावुत्तरकालभाविनी कदाचित् पुं-स्त्रीलिङ्गे भवतो न च निर्वृत्तितो लक्ष्यते', (लक्ष्येते?) कपिलवदिति सर्वत्र योज्यम्।
एतदेव त्रिविधं लिङ्गं वेद उच्यते, यस्य कर्मण उदयात् पौंस्नं स्त्रैणं नपुंसकत्वं च भवति तल्लिङ्गम्, अत्राप्यभेदेन निर्देशः पुमान्, स्त्री, नपुंसकमिति ।
___मिथ्यादर्शनमेकभेदं → तत्त्वार्थाऽश्रद्धानलक्षणम्, यस्य कर्मण उदयान्न किञ्चित् तत्त्वं श्रद्धते तन्मिथ्यादर्शनम्॥
ननु च अभिगृहीतानभिगृहीत-सन्देहतस्त्रिधोक्तम्, उच्यते → सर्वत्राश्रद्धानलक्षणं न भिद्यत इत्येकभेदमुक्तम् अत्राप्यभेदोपचारात् मिथ्यादृष्टिरिति।
अज्ञानमेकभेदं → ज्ञान-दर्शनावरण-सर्वघातिदर्शनमोहनीयोदयादज्ञानमनवबोधस्वभावमेक
ભાષ્યાર્થ - મિથ્યાદર્શન ૧ ભેદવાળું છે - મિથ્યાદષ્ટિ. અજ્ઞાન ૧ ભેદવાળું છે -- અજ્ઞાની.
- હેમગિરા - થનારા પુલિંગ અને સ્ત્રીલિંગ (ઉદયમાં) હોય છે, પણ નિવૃત્તિ (= રચના) થકી ઓળખી શકાતા નથી, જેમકે કપિલને. આ રીતે સર્વત્ર જોડી લેવું. આ જ ત્રિવિધ લિંગને “વેદ” કહેવાય છે. જે કર્મના ઉદયથી પુરુષપણું, સ્ત્રીપણું અને નપુંસકપણું થાય છે તે લિંગ” છે. અહીં પણ વેદ અને વેચવાનો અભેદ હોવાથી (= પૂર્વની જેમ આત્મા સાથે વેદોનો અભેદ સંબંધ ધારી જીવના સ્વતત્ત્વ તરીકે વેદોને જણાવવા માટે પોંખં, ઐણ, નપુંસકત્વ એમ ન કહેતાં) પુમાન, સ્ત્રી, નપુંસક એમ નિર્દેશ કર્યો છે.
મિથ્યાદર્શન એક ભેદે છે - તત્ત્વાર્થની અશ્રદ્ધારૂપ આ મિથ્યાદર્શન એક ભેદવાળું છે. જે કર્મના ઉદયથી તત્ત્વ અંગે થોડી પણ શ્રદ્ધા જીવને ન થાય તે મિથ્યાદર્શન છે.
શંકાઃ આ મિથ્યાદર્શન તો અભિગૃહીત, અનભિગૃહીત અને સંદેહ એમ ૩ ભેદે (પ્રથમ અધ્યાયમાં સૂત્ર - ૩૨ પૃ. - ૨૭૩માં) કહેવાયું છે. (તો તમે એક જ ભેદવાળું કેમ કહ્યું?)
સમાધાન: સર્વત્ર (= ત્રણેમાં) અશ્રદ્ધાન સ્વરૂપ લક્ષણ એક સરખું જ છે, ભિન્ન નથી. એથી મિથ્યાદર્શન ૧ પ્રકારવાળું કહેવાયું છે. અહીં પણ મિથ્યાત્વ અને મિથ્યાત્વીનો અભેદ ઉપચાર થકી (પૂર્વની જેમ આત્માની સાથે આ મિથ્યાદર્શનનો અભેદ સંબંધ ધારી જીવના સ્વતત્ત્વ તરીકે પ્રતિપાદન કરવા માટે મિથ્યાદર્શન એમ ન કહેતાં) મિથ્યાદષ્ટિ એ પ્રમાણે કહેલ છે. ૨. નશ્યત - iા ક કપિલનું દષ્ટાંત નિશિથ ગ્રંથની પીઠિકામાં ઉપલબ્ધ છે.